ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વધુ મેળવવા માટેની રણનીતિ બનાવવાનું શરુ કરી દીધું છે. જેના ભાગ રૂપે કેન્દ્રીય નેતાઓના ગુજરાતના પ્રવાસ વધી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસના પગલે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે બે દિવસીય ગુજરાતના પ્રવાસે
30 સપ્ટેમ્બરે અમદાવાદ ખાતે સભાને કરશે સંબોધન
થલતેજ ખાતેના AES ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરાયું મોટું ડોમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 29 સપ્ટેમ્બરના રોજ PM મોદી ભાવનગરમાં રોડ શૉ કરશે અને સભાને સંબોધશે. 29મીએ અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. 29મી સપ્ટેમ્બરે રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી 29 સપ્ટેમ્બરના રોજ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. સાથે 30મી સપ્ટેમ્બરે પીએમ મોદી અમદાવાદ ખાતે સભાને સંબોધન કરશે.
ગ્રાઉન્ડમાં મોટું ડોમ તૈયાર
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા AES ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી આ ગ્રાઉન્ડમાં મોટું ડોમ તૈયાર કરવામાં આવ્યું છે. એઈએસ ગ્રાઉન્ડ ખાતે એક લાખ લોકોની બેઠક વ્યવસ્થા વાળું વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમનના પગલે તેમના કાર્યક્રમના તમામ સ્થળો પર સુરક્ષ વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. પીએમની સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
વૈકલ્પિક રૂટની યાદી જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડીને અલગ-અલગ વિસ્તારના વૈકલ્પિક રૂટની યાદી જાહેર કરી છે. પીએમ મોદીના કાર્યક્રમને આધારે 29મી સપ્ટેમ્બરે અલગ-અલગ સમયે રૂટ પર વાહનોને ડાયવર્ટ કરાશે.
PM મોદી આવતીકાલથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આ બે દિવસ દરમિયાન અમદાવાદમાં ટ્રાફિકના 5 રૂટ બંધ રહેશે. 29 સપ્ટેમ્બરે અમદાવાદ શહેરમાં 2 રૂટ રહેશે બંધ. આવતીકાલે અંધજન મંડળથી હેલ્મેટ રૂટ રહેશે બંધ તો મોટેરા રોડથી કૃપા રેસિડેન્સી રોડ આવતીકાલે રહેશે બંધ.
અમદાવાદમાં 3 રુટ 30 તારીખે રહેશે બંધ
30 સપ્ટેમ્બરે અમદાવાદ શહેરમાં 3 રૂટ બંધ રહેશે. 30 તારીખે સુરધારા સર્કલથી સાંઈબાબા સર્કલ થલતેજ પાસેનો રૂટ બંધ રહેશે, સાથે થલતેજ સાંઈબાબા અને હિમાલય મોલ તરફનો રૂટ અને ગુરુદ્વારા સર્કલથી સંજીવની હોસ્પિટલ રોડ બંધ રહેશે.
જાણો PM મોદીનો બે દિવસનો સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ
PM મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાત આવશે
29 સપ્ટેમ્બરે સવારમાં સુરત ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર
સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે
29 સપ્ટેમ્બરે ભાવનગરમાં રોડ શો અને સભાનું આયોજન
29 તારીખે અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે
29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં આપશે હાજરી
PM મોદી 29 સપ્ટેમ્બર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ
30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે PM
કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી
કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે
અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે PM
અમદાવાદથી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
દાંતા જવા રવાના થશે, અહીં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
30 તારીખે PM અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે
અંબાજી મંદિરે દર્શન કરી ગબ્બર ખાતે પણ દર્શન કરશે PM મોદી