પ્રધાનમંત્રી મોદી 31મેના દિવસે કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો જારી કરીને ખેડૂતોના ખાતામાં 21,000 કરોડ જમા કરશે.
કિસાન સન્માન નિધિના 11ના હપ્તાને લઈને મોટું અપડેટ
પ્રધાનમંત્રી કાર્યાલયે મહત્વની જાહેરાત
PM પીએમ મોદી 31મેના દિવસે જારી કરશે 11મો હપ્તો
ખેડૂતોના ખાતામાં જમા કરશે 21,000 કરોડ
પીએમ મોદી 31મેના દિવસે શિમલામાં લાભાર્થીઓ સાથે કરશે વાત
દેશના જરૂરિયાતમંદ ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયેલા છે, અને આર્થિક લાભ લઈ રહ્યા છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. જે સીધા તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.
Prime Minister Narendra Modi will also release the 11th installment of the Kisan Samman Nidhi amounting to more than Rs 21,000 crore: PMO
પીએમ મોદી 31 મેના રોજ હિમાચલ પ્રદેશના શિમલામાં લાભાર્થીઓ સાથે કરશે વાતચીત
પીએમ મોદી હિમાચલ પ્રદેશના શિમલામાં 31 મેના રોજ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. પીએમઓએ જાણકારી આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21,000 કરોડ રૂપિયાથી વધુની કિશાન સમ્માન નિધિનો 11મો હપ્તો પણ બહાર પાડશે. પ્રધાનમંત્રી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના 9 મંત્રાલયો અને વિભાગોમાં ફેલાયેલી આશરે 16 યોજનાઓ અને કાર્યક્રમોના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે.
ખેડૂતોને ફરી આ લાભ મળી રહ્યો છે
આ મહિનાની શરૂઆતમાં, ઓટીપી દ્વારા આધાર-આધારિત ઇકેવાયસીનો વિકલ્પ પોર્ટલ પર અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યો હતો. આ જાણકારી પીએમ કિસાન વેબસાઈટ પર આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, ખેડૂતો કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) કેન્દ્રમાં જઈ રહ્યા હતા અને ઇકેવાયસી માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરી રહ્યા હતા. પરંતુ હવે પીએમ કિસાન યોજનાના પાત્ર લાભાર્થીઓ પીએમ કિસાન વેબસાઇટ દ્વારા કેવાયસીને ઓનલાઇન ફરીથી અપડેટ કરી શકે છે.
PM Narendra Modi will interact with beneficiaries of govt schemes on May 31 at Shimla, Himachal Pradesh
PM will interact with the beneficiaries of about 16 schemes & progammes spanning 9 ministries & depts of GoI as part of Azadi Ka Amrit Mahotsav celebrations: PMO
ખેડૂતોના ખાતામાં વર્ષે જમા થાય છે 6000
ઉલ્લેખનીય છે કે કિસાન સન્માન નિધિ હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6000 રુપિયા જમા થાય છે આનાથી ખેડૂતોને થોડી રાહત રહે છે. હવે 31મેના દિવસે કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો રિલિઝ થવા જઈ રહ્યો છે.
ક્યારે કરશે જાહેર?
પીએમ કિસાન યોજના અંતર્ગત આવનાર 11મો હપ્તો 31 મે 2022ના રોજ બહાર પાડવામાં આવશે. શિમલાના રિજ મેદાનમાં કાર્યક્રમ દરમિયાન જ આ પૈસા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવશે.
જરૂર કરાવી લો ઇ-કેવાયસી
જો તમે આ યોજનાના લાભાર્થી છો તો શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસી કરાવી લેવું જરૂરી છે. હકીકતે જો તમે આમ નહીં કરો તો તમને મળતો 11મો હપ્તો અટકી શકે છે.