પ્રધાનમંત્રી મોદી રવિવારે પ્રાકૃતિક ખેતી સંમેલનને વીડિયો કોન્ફ્રેંસ દ્વારા સંબોધન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયના એક નિવેદનમાં કહેવાયુ છે .
પીએમ મોદી આજે વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા ખેડૂતોને સંબોધન કરશે
સૂરતમાં આયોજીત થશે આ કાર્યક્રમ
પ્રાકૃતિક ખેતી તરફ લોકોને વાળવાનો પ્રયાસ
પ્રધાનમંત્રી મોદી રવિવારે પ્રાકૃતિક ખેતી સંમેલનને વીડિયો કોન્ફ્રેંસ દ્વારા સંબોધન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયના એક નિવેદનમાં કહેવાયુ છે કે, આ સંમેલન ગુજરાતના સૂરતમાં આયોજીત થઈ રહ્યું છે અને તેમાં હજારો ખેડૂતો અને તમામ હિતધારકો ભાગ લેવા જઈ રહ્યા છે. જેમણે સુરતમાં પ્રાકૃતિક ખેતીને અપનાવવામાં સફળતા મેળવી છે.
તેમાં કહેવાયુ છે કે, મોદીએ માર્ચમાં ગુજરાતમાં એક પંચાયત સભાને સંબોધન કરતા કહ્યું હતું કે દરેક ગામમાં લગભગ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહ્વાન કર્યું હતું. સૂરત જિલ્લામાં અલગ અલગ હિતધારકો અને સંસ્થાઓ જેવી કિસાન સમૂહ, ચૂંટાયેલા પ્રતિનિધિ, APMC, સહકારિતા અને બેંકોને ખેડૂતોની મદદ કરવા માટે જાગૃત કરવા અને પ્રેરિત કરવા માટે સમન્વિત પ્રયાસ કર્યા.
દરેક ગામમાંથી 75 ખેડૂતોની પસંદગી કરવામાં આવશે
પીએમઓએ કહ્યું કે, તેના પરિણામસ્વરૂપ દરેક ગ્રામ પંચાયતમાં લગભગ 75 ખેડૂતોની ઓળખાણ કરવામાં આવશે અને તેમને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત તથા ટ્રેનિંગ દેવામાં આવશે. ખેડૂતોને 90 અલગ અલગ ગ્રુપમાં પ્રશિક્ષિત કરવામાં આવશે અને તેના પરિણામ સ્વરૂપ જિલ્લાના 41,000થી વધારે ખેડૂતોને ટ્રેનિંંગ દેવામાં આવશે.