બે દિવસીય મુલાકાત પર પ.બંગાળની રાજધાની કોલકાતા પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ બંગાળની સંસ્કૃતિ અને ઇતિહાસ દ્વારા 'રાષ્ટ્રવાદી અભિયાન'ની શરૂઆત કરી. પીએમ મોદીએ સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગર, રાજા રામમોહન રાયનું ઉદાહરણ રજૂ કરતા કહ્યું કે, ભારતની કલા, સંસ્કૃતિ પોતાના હેરિટેજને 21મી સદી અનુસાર સંરક્ષિત કરવા અને તેને રિબ્રાન્ડ, રિનોવેટ અને રિહાઉસ કરવાનું આજે રાષ્ટ્રવાદી અભિયાન પ.બંગાળની માટીથી શરૂ થઇ રહ્યું છે.
બંગાળની બે દિવસીય મુલાકાત પર કોલકત્તા પહોંચ્યા PM મોદી
પીએમ મોદી કોલકત્તામાં ઘણા કાર્યક્રમમાં હાજર રહેશે
CAAના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનોએ કર્યો પીએમ મોદીનો વિરોધ
જોકે, નાગરિકતા સંશોધન કાયદાને પગલે વિદ્યાર્થી સંગઠન સ્ટૂડેન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI) એ પીએમ મોદીની કોલકાતા મુલાકાતનો વિરોધ કર્યો છે.
PM મોદીએ જુના દિવસોને યાદ કર્યા
પીએમ મોદીએ શનિવારે કોલકાતામાં વિતાવેલા પોતાના જુના સમયને યાદ કરતા કહ્યું, 'સંસ્કૃતિ અને સાહિત્યની તરંગ અને ઉમંગથી ભરેલા કોલકાતાના આ વાતાવરણમાં આવીને મન અને મસ્તિષ્ક આનંદથી ભરાઇ જાય છે. તેઓએ કહ્યું કે, કેન્દ્ર સરકારનો પ્રયાસ છે કે ભારતના સાંસ્કૃત્તિક સામર્થ્યને દુનિયાની સામે નવા રંગ-રુપમાં રાખીએ, જેથી ભારત દુનિયામાં હેરિટેજ ટુરિઝમનું મોટુ સેન્ટર બનીને ઉભરે.
તેઓએ કહ્યું કે, હાલ જ્યારે પ્રદર્શન જોયુ તો એવુ લાગ્યું હતું, જાણે હું તે ક્ષણોને સ્વયં જીવી રહ્યો છું જે તે મહાન ચિત્રકારો, કલાકારો, રંગકારો એ રચ્યા છે, જીવ્યા છે. બાંગ્લાભૂમિની, બંગાળની માટીની આ અદભૂત શક્તિ, મોહિત કરનાર સુગંધને હું નમન કરું છું.'
પીએમ મોદીએ હાવડા બ્રિજ પર લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કર્યો
આ કાર્યક્રમ બાદ પીએમ મોદીએ ઐતિહાસિક હાવડા બ્રિજ પર લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કર્યો. આ દરમિયાન ત્યાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પીએમ મોદી અહીંથી નાવ દ્વારા બેલૂર મઠ ગયા.
Glimpses from an amazing cultural programme in Kolkata marking the inauguration of facade lighting on the iconic Rabindra Setu. pic.twitter.com/LXxr65STVr
પીએમ મોદીએ કહ્યું, 'હાલ આપણે સૌ ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગરજીની 200મી જયંતી ઉજવી રહ્યા છીએ. આ પ્રકારે 2022માં જ્યારે ભારતની આઝાદીના 75 વર્ષ થશે, ત્યારે વધુ એક સુખદ સંયોગ બની રહ્યો છે. વર્ષ 2022માં મહાન સમાજ સુધારક અને શિક્ષણવિદ રાજા રામમોહન રાયની 250મી જયંતી આવનારી છે. ભારત આદિ શકરાચાર્ચ, થિરુનાવુક્કારાસાર જેવા કવિ સંતોનો આશીર્વાદ મળ્યો. અંદાલ, અક્કા મહાદેવી, ભગવાન બશવેશ્વર, ગુરુ નાનક દેવજી દ્વારા બતાવાયેલા માર્ગ, આજે આપણાને પ્રેરણા આપે છે.'
After the programmes in Kolkata, on the way to Belur Math by boat. Have a look at the beautiful Rabindra Setu! pic.twitter.com/vJsq8JSQ7J
લાલ કિલ્લા, આંદમાન-નિકોબારથી કર્યું નેતાજીને સન્માન
નેતાજી સુભાષ ચંદ્ર બોઝને યાદ કરતા મોદીએ કહ્યું, સ્વતંત્રતાની બાદના દાયકાઓમાં જે થયું, નેતાજી સાથે જોડાયેલી ભાવનાઓ જે દેશના મનમાં હતી, તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. નેતાજીના નામ પર લાલ કિલ્લા પર મ્યૂઝિયમ બનાવવામાં આવ્યું છે. આંદમાન-નિકોબાર સમૂહના એક દ્વીપનું નામ નેતાજીના નામ પર રાખવામાં આવ્યું.
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, 21મી સદી ભારતની હશે
સ્વામી વિવેકાનંદે ઐતિહાસિક ભાષણને યાદ કરતા કહ્યું, આપણે સૌએ સ્વામી વિવેકાનંદની એ વાત હંમેશા યાદ રાખવી જોઇએ, જે તેઓએ મિશિગન યુનિવર્સિટીમાં કેટલાક લોકોને સંવાદ દરમિયાન કહી હતી. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, હાલ વર્તમાન સદી ભલે આપની છે, પરંતુ 21મી સદી ભારતની હશે.