દિલ્હી: આગામી લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે પાર્ટીના માર્ગદર્શક લાલ કૃષ્ણ અડવાણી ગાંધીનગરથી ચૂંટણી લડે. ગુજરાતના ગાંધીનગરની લોકસભા સીટ લગભગ 91 વર્ષીય લાલ કૃષ્ણ અડવાણીની પરંપરાગત સીટ રહી છે.
ઉલ્લેખનીય છે કે લાલકૃષ્ણ અડવાણી 1998થી ગાંધીનગરના સાંસદ છે. તો 2014ની લોકસભાની ચૂંટણી માં અડવાણીની સીટ પરથી ચૂંટણી લડવા માટે અસમંજસની સ્થિતિ ઉભી થઈ હતી. જેને લઈને પાર્ટીની અંદર રાજકારણે જોર પકડયું હતું. એવી અટકળો વહેતી થઈ હતી કે ગાંધીગનરના બદલે અડવાણી લોકસભાના સભ્યપદ માટે મધ્યપ્રદેશ જઈ શકે છે.
આપને જણાવી દઇએ કે બાદમાં તેઓ ગાંધીનગરથી જ ચૂંટણી લડયા અને જીત્યા પણ. સુત્ર દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ પીએમ મોદીએ પહેલેથી જ અડવાણી સામે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે હવે અડવાણીએ નક્કિ કરવાનું છે કે તેઓ પોતાની આગામી રાજકીય સફર કેવી રીતે આરંભ કરશે.
તાજતરમાં મળેલ સુત્રો દ્વારા વિગતો મુજબ લાલકૃષ્ણ અડવાણી યશવંત સિન્હાના રસ્તે ચાલવાની ઈચ્છા ધરાવે છે. જેવી રીતે યશવંત સિન્હાએ પોતાની સીટ પોતાના પુત્ર જયંત સિન્હાને આપી હતી. તેવી જ રીતે અડવાણી પણ પોતાની દીકરી પ્રતિભાને રાજકારણમાં લાવવા માગે છે.