200 વર્ષ જૂના શ્રીનાથજીના મંદિરનું નવીનીકરણ કરવામાં આવશે, જેના માટે 42 લાખ ડોલર (લગભગ 30 કરોડ રૂપિયા)નો ખર્ચો કરવામાં આવશે. થાટઇ હિંદૂ વેપારી સમાજના અધ્યક્ષે જણાવ્યુ કે, ''45000 વર્ગ ફૂટ ક્ષેત્રમાં 3 માળના ભવનની સાથે મંદિરનું પણ નવીનીકરણ કરવામાં આવી રહ્યુ છે.''
Spent time at Bahrain’s Shreenathji Temple. This is among the oldest temples in the region and manifests the strong ties between India and Bahrain.
તેમણે આગળ જણાવ્યુ કે, મંદિરમાં એક નૉલેજ સેન્ટર સિવાય મંદિરથી જોડાયેલુ એક સંગ્રહાલય પણ છે. થાટઇ હિંદૂ વેપારી સમાજના એક પ્રમુખ સભ્યએ કહ્યુ કે, ''અમે ભાગ્યશાળી છીએ કે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરના 200માં સ્થાપના વર્ષના ઉત્સવ પર અહીંયા પ્રવાસ કર્યો.''
કહેવાઇ રહ્યુ છે કે, આ મંદિરની સ્થાપના 18મી શતાબ્દીના બીજા દાયકમાં થાટઇ હિંદૂ વેપારી સમાજના લોકો દ્વારા કરવામાં આવી. આ સમાજના લોકો આજે પણ આ મંદિરની દેખરેખ છે.
Rupay કાર્ડથી PM મોદીએ ખરીદ્યા લાડુ:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત અરબ અમીરાત (UAE) માં Rupay કાર્ડ લોન્ચ કર્યુ, જે પછી તેમણે અમીરાત પેલેસમાં એક કિલો લાડૂ ખરીદવા માટે Rupay કાર્ડ સ્વાઇપ કર્યુ. આ લાડૂ મોતીચૂરના હતા. તમને જણાવી દઇએ કે, સંયુક્ત અરબ અમીરાત (UAE)માં માસ્ટરકાર્ડ અથવા વીઝા કાર્ડ સમકક્ષ Rupay કાર્ડ લોન્ચ કરવામાં આવ્યુ છે. મધ્ય પૂર્વમાં સંયુક્ત અરબ અમીરાત (UAE) પહેલો એવો દેશ છે, જ્યાં Rupay કાર્ડની શરૂઆત કરવામાં આવી.
મોદીને UAEના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા
UAEમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાએદ અલ નાહ્યંએ તેમને દેશના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ જાએદથી સન્માનિત કર્યા. મોદીને ઓર્ડર ઓફ જાએદથી સન્માનિત કરવાની જાહેરાત આ વર્ષે એપ્રિલમાં થઈ હતી. તેનો હેતું ભારત અને યુએઈની વચ્ચેના દ્વિપક્ષીય સબંધોને મજબૂત કરવાનો છે.