ગુરુદ્વારા પહોંચ્યા બાદ પીએમ મોદીએ પ્રાર્થના કરી અને થોડોક સમય ત્યાં જ વિતાવ્યો હતો. પીએમ મોદી અચાનક ગુરુદ્વારા પહોંચ્યા. આ દરમિયાન તેમની સાથે કોઈ વિશેષ સુરક્ષા નહોંતી દેખાઈ અને કોઈ વિશેષ સુરક્ષા માર્ગથી ગુરુદ્વારા પહોંચ્યા હતા.
શીખના નૌર્વે ગુરુ શ્રી ગુરુ તેજ બહાદુરના 400માં પ્રકાશ પર્વના સમાપન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ગુરુદ્વારા શ્રી શીશગંજ સાહિબ પહોંચ્યા હતા. પહેલા એા સમાચાર આવ્યા હતા કે ગુરુ શ્રી ગુરુ તેજ બહાદુરના 400માં પ્રકાશ પર્વના પ્રસંગે મોદી શ્રી ગુરુ તેજ બહાદુરના સ્મારકનું લોકાર્પણ કરશે.
Prime Minister Narendra Modi visited Gurudwara Sis Ganj Sahib in Delhi today morning and offered prayers on the 400th Prakash Purab of Guru Teg Bahadur. pic.twitter.com/jbWapgHPYo
આ વિશાલકાય સ્મારકમાં ગુરુના ત્યાગ અને બલિદાનની જાણકારી હશે. સેન્ટ્રલ વર્જ પર આને 40 ફુટ ઉંચાઈ અને 25 ફુટ પહોળાઈમાં બનાવવામાં આવ્યું છે. આનાથી જાડાઈ 7 ફુટ છે.
મુગલ બાદશાહ ઔરંગજેબે શ્રી ગુરુ તેજ બહાદુરનું ગળુ કપાવ્યુ હતુ
જાણકારોનું માનવુ છે કે આ સમયે જ્યાં શીશગંજ ગુરુદ્વારા બનાવ્યુ છે ત્યાં મુગલ બાદશાહ ઔરંગજેબના કહેવા પર જલ્લાદે શ્રી ગુરુ તેજ બહાદુરની સાથે તેમના શિષ્યોનું ગળુ કાપી નાંખ્યું હતુ. ઔરંગજેબ તરફથી ધર્મપરિવર્તનના નામ પર અનેક પ્રકારની લાલચો આપવામાં આવી હતી અને બાદમાં ગુરુ તેજ બહાદુરના સામે તેમના શિષ્યોને મોતના ઘાટે ઉતાર્યા હતા, આ બાદ તેમને સ્પષ્ટ કહ્યુ હતુ કે માથુ કપાવી શકે છે પણ કેશ નહીં. આના ચાલતા આ ઐતિહાસિક ગુરુદ્વારા વિશ્વભરના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.