જૂનાગઢઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. પ્રધાનમંત્રી સૌથી પહેલા વલસાડ પહોંચ્યા જ્યાં તેમણે 1 727 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ 'પ્રધાનમંત્રી આવાસ યોજના'(ગ્રામીણ) હેઠળ 1.15 લાખ આવાસોને લાભાર્થીઓને સમર્પિત કર્યા હતા. વલસાડ સિવાય પ્રધાનમંત્રી નરેદ્રભાઇ મોદી જૂનાગઢ પહોંચ્યા હતા. જ્યાં તેમના વરદ હસ્તે મ.ન.પાનાં ટાઉન હોલ સાબલપુર પાસે પુલ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ એગ્રો પ્રોસેસિંગ બિલ્ડિંગ સહિતનાં કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે અહીં કેટલીક સો કરોડ રૂપિયાની પરિયોજનાઓની શરૂઆત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ વિકાસ થઇ રહ્યો છે તે બદલતા ભારતનું લક્ષણ છે. પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે જ્યાં લોકો સસ્તા ભાવે દવા ખરીદી શકે છે.
પીએમ મોદીએ કહ્યું કે હું પ્રધાનમંત્રી બન્યા બાદ બીજી વખત જૂનાગઢ આવ્યો છે. સમગ્ર ગુજરાતની યાત્રા કરવાનો આજે અવસર મળ્યો છે. ગિરનારનો સાદ એવો છે કે આપણાંપણું લાગે. જુનાગઢના જુના મિત્રોને જોઇ આનંદ આવ્યો. રક્ષાબંધન પૂર્વે બહેનો પોતાના ઘર મળ્યા છે. રક્ષાબંધન પૂર્વે બહેનોને પોતાના ઘર મળ્યા છે. મને આવતીકાલના ગુજરાતના દર્શન થાય છે. દેશ બદલાઇ રહ્યો છે. ગીરનાં જંગલમાં એક મતદાર માટે ચૂંટણી પંચ ત્યાં પણ પહોંચે છે. નરસિંહ ભાઇને સ્મરણ કરૂ છુ. વલસાડમાં અદભુત કાર્યક્રમ કર્યો. જૂનાગઢના જીવનમાં મેડિકલ કોલેજ હોસ્પિટલ કેન્દ્રબિંદુ બની. આવતીકાલના સ્વસ્થ ગુજરાતનું સપનું છે.
વધુમાં તેમણે કહ્યું કે એક મતદાર માટે મતદાન મથક ઉભુ કરાય છે. WHOનો રિપોર્ટ પ્રમાણે સ્વચ્છતાના કારણે 3 લાખ બાળકોને બચાવી શક્યાં. 70 વર્ષ પહેલ જો કામ થયાં હોત તો દેશ બીમાર ન હોત. ખુલ્લામાં શોચ મુક્ત ભારત બનાવનુ સપનુ. હવે કોઇ બેઇમાની નહી થતી. આયુષ્યમાન ભારતનો ટ્રાયલ 15 ઓગસ્ટથી શરૂ થશે. ગુજરાતે મને મોટો બનાવ્યો.
આયુષ્યમાન યોજનાને લઇને કહ્યું કે 25 સપ્ટેમ્બરથી દેશ ભરમાં આયુષ્યમાન યોજનાનો પ્રારંભ થશે. 25 સપ્ટેમ્બરથી આયુષ્યમાન ભારત યોજના શરૂ થશે. 25 સપ્ટેમ્બરે પંડિત દીનદયાળનો જન્મ દિવસ. ભારતમાં 1.50 લાખ આરોગ્યધામ નિર્માણની યોજના. ખુલ્લામાં શૌચ મુક્ત ભારત બનાવવાનું સ્વપ્ન. 10 કરોડ પરિવારને આરોગ્ય સુવિધા આપવાનો હેતુ.
નાના શહેરોમાં નવી હોસ્પિટલોનું નિર્માણ થશે. ડેરીઓનાં કારણે સૌરાષ્ટ્ર-કચ્છનાં લોકોને ફાયદો થયો. 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય છે. ફિશરીઝ કોલેજમાં વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળશે. અગાઉની સરકારમાં બધું જ રામભરોસે ચાલતું. મધઉછેરથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે. મધનું એક્ષપોર્ટ એક જ વર્ષમાં ડબલ થયું.
ખેડૂતોને પાકનાં ટેકાનાં ભાવો મળતા થયાં. ખેડૂતો માટે સિંચાઇ માટે પુરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે. જૂની 99 સિંચાઈ યોજનાઓ પૂર્ણ કરવા કામ હાથ ધરાયું છે. શ્રાવણ માસમાં ગીરનારનું ઘણું મહત્વ છે. PM મોદીએ ગુજરાતનાં લોકોને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી.