વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સંમેલનમાં ભાગ લેવા માટે જાપાનની યાત્રા પર જઇ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 અને 24મેના રોજ ટોક્યોમાં ક્વાડ સંમેલનમાં ભાગ લેશે.
PM મોદી ક્વાડ સંમેલનમાં ભાગ લેવા માટે જાપાનની યાત્રા પર જશે
23 અને 24મેના રોજ ટોક્યોમાં ક્વાડ સંમેલનમાં ભાગ લેશે
ક્વાડ સંમેલનમાં ઘણા વિષયો પર વાતચીત થશે
વડાપ્રધાન મોદી 40 કલાક સુધી જાપાનમાં રહેશે
વડાપ્રધાન મોદી 40 કલાક સુધી જાપાનમાં રહેશે અને 23 બેઠકોમાં ભાગ લેશે. આ સાથે 36 જાપાની સીઈઓ અને પ્રવાસી ભારતીયો સાથે વાતચીત કરશે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે પીએમ મોદી જાપાનના વડાપ્રધાન ફૂમિયો ફિશિદાના નિમંત્રણ પર ક્વાડ સંમેલનમાં ભાગ લેવા જાપાન જઇ રહ્યાં છે. ક્વાડ સંમેલન દરમ્યાન પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન, જાપાની વડાપ્રધાન ફૂમિયો ફિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાનની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ક્વાડ સંમેલનમાં ઘણા વિષયો પર વાતચીત થશે. તેમણે કહ્યું કે ક્વાડ સંમેલનનો ઉદ્દેશ્ય હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધી અને સ્થિરતાને લઇને સકારાત્મક અને ક્રિએટીવ એજન્ડાને લાગુ કરવા પર ભાર આપવાનો છે. સંમેલન દરમ્યાન આ વાત પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે કે આ ક્ષેત્રમાં કેટલી પ્રગતિ થઇ છે. આ સાથે ભવિષ્યમાં કયા-કયા પગલા ઉઠાવી શકાય છે.
વૈશ્વિક મુદ્દા પર વિચાર-વિમર્શ કરાશે
વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે ક્વાડ સંમેલનમાં ઈન્ડો પેસિફિકમાં એક ડી-કાર્બોનાઇઝ્ડ ગ્રીન શિપિંગ નેટવર્ક તૈયાર કરવુ, સ્વચ્છ હાઈડ્રોજનનો ઉપયોગ કરવાની સાથે તેને વધુ સુલભ બનાવવુ, ઈન્ડો પેસિફિક દેશોની જળવાયુ દેખરેખ પર મંથન કરવામાં આવશે. 24મેના રોજ ટોક્યોમાં થનારી સમિટમાં ક્વાડ લીડર્સ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં પડકાર અને અવસરની સાથે-સાથે વૈશ્વિક મુદ્દા પર વિચાર-વિમર્શ કરાશે.
PMની જાપાન યાત્રા પહેલા આ બોલ્યા અમિત માલવીય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન યાત્રા પહેલા ભાજપના આઈટી સેલ પ્રમુખ અમિત માલવીયએ કહ્યું કે પીએમ મોદી જે રીતે કામ કરે છે, તે બધા માટે પ્રેરણાદાયક છે. વડાપ્રધાન મોદી સમય બચાવવા માટે રાત્રિના સમયે ફ્લાઈટથી યાત્રા કરે છે, પછી તેઓ બીજા દિવસે બેઠકો અને સંમેલનમાં ભાગ લે છે અને પછી આગામી ડેસ્ટિનેશન માટે ટ્રાવેલ કરે છે.