મહામારીની પહેલી લહેર વખતે જ્યારે દેશમાં લોકડાઉન લાગ્યું હતું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 80 કરોડ જરૂરીયાતમંદોને મફતમાં રાશન આપવાનું એલાન કર્યું હતું.
PM મોદીએ ગુજરાતમાં ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી
યોજના વિશે વધુ જાગૃકતા ફેલાવવા માટે કાર્યક્રમની શરૂઆત કરી
ગરીબોને મફત રાશન માટે લાગુ કરી છે આ યોજના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ ગરીબ કલ્યાણ યોજનાના ગુજરાતના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. આ યોજના વિશે વધુ જાગૃતતા ફેલાવવા માટે રાજ્યમાં એક જન ભાગીદારી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ મળતું આ રાશન મહામારીના સમયમાં ગરીબની મદદ કરે છે. આ યોજના એક વર્ષથી ચાલી રહી છે. જેથી કોઈ ગરીબ ભુખ્યુ ન રહે. પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે ગરીબને ખબર છે કે ગમે તે થઈ જાય દેશ તેમની સાથે છે.
શું કહ્યું પ્રધાનમંત્રી મોદીએ?
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "ગુજરાત સરકારે આપણી બહેનો, આપણા ખેડૂતો, આપણા ગરીબ પરિવારોના હિતમાં દરેક યોજનાને સેવાભાવની સાથે લોન્ચ કરી છે. આજે ગુજરીતના લાખો પરિવારને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એક સાથે મફત રાશન આપવામાં આવી રહ્યું છે. " તેમણે જણાવ્યું કે, "આઝાદી બાદથી લગભગ દરેક સરકારે ગરીબોને સસ્તુ ભોજન આપવાની વાત કરી હતી. સસ્તા રાશનની યોજનાનો દાયરો અને બજેટ દર વર્ષે વધતો ગયો પરંતુ તેનો જે પ્રભાવ હોવો જોઈએ તે સીમિત રહ્યો "
શું છે પીએમ ગરીબ કલ્યાણ યોજના?
કોરોના મહામારીની પહેલી લહેર વખતે જ્યારે દેશમાં લોકડાઉન લાગાવવામાં આવ્યું હતું ત્યારે નરેન્દ્ર મોદીએ દેશના 80 કરોડ જરૂરીયાતમંદને મફતમાં રાશન આપવાનું એલાન કર્યું હતું. તેનો સૌથી મોટો ફાયદો એ ગરીબોને મળ્યો છે જે દરરોજે બીજી જરૂરીયાતો માટે પોતાનું ગામ છોડીને ક્યાંક બીજે જાય છે.
આ યોજનાના માધ્યમથી દરેક પાત્ર લાભાર્થીઓને નક્કી કરેલું રાશન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના માધ્યમથી દેશમાં આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો જેવા કે રસ્તા પર રહેતા લોકો, સાફસફાઈ, ફેરીયાવાળા, રિક્ષા ચાલક, પ્રવાસી મજૂર વગેરેને પ્રાથમિકતા આપવામાં આવી હતી. સરકાર દ્વારા પીએમ ગરીબ કલ્યાણ યોજનાને 3 મહિના માટે શરૂ કરવામાં આવી હતી. જ્યાર બાદમાં તેને ઘણી વખત વધારવામાં આવી. હાલમાં દિવાળી સુધી તેને વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.