પીએમ મોદી આજે 11 વાગે મન કી બાત કરશે જેમાં વેક્સીનેશનના બીજા તબક્કા સાથે વધતા કોરોનાને લઈને ચર્ચા કરી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કરશે 'મન કી બાત'
11 વાગ્યા કાર્યક્રમ દ્વારા દેશને સંબોધશે PM
દેશમાં વધી રહેલા કોરોનાના કેસ મુદ્દે કરી શકે છે વાત
પ્રધાનમંત્રી રસીકરણના બીજા તબક્કા અંગે કરી શકે છે ચર્ચા
પીએમ મોદી આજે સવારે 11 વાગે રેડિયો કાર્યક્રમ મન કી બાતની મદદથી દેશને સંબોધન કરશે. આ 74મું સંબોધન હશે. આ સમયે દેશમાં વધી રહેલા કોરોના અને વેક્સીનેશનના બીજા તબક્કાને લઈને ચર્ચા થાય તે શક્ય છે.
આ સમયે પીએમ મોદીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ સમયે થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો હતો અને સાથે 26 જાન્યુઆરીએ થયેલા તિંરંગાના અપમાનની પણ ચર્ચા કરી હતી.
કોરોના મહામારીને લઈને પણ કરી હતી ચર્ચા
પીએમ મોદીએ આ સમયે કોરોના મહામારી પર પણ ચર્ચા કરી હતી. તેઓએ કહ્યું કે વર્ષની શરૂઆતની સાથે કોરોનાની લડાઈમાં એક વર્ષ પૂરું થયું છે. કોરોનાની વિરુદ્ધમાં ભારતની લડાઈ મિસાલ બની છે અને વેક્સીનેશન અભિયાન પણ એક મિસાલ બની રહ્યું છે. આ સાથે સંકટ સમયમાં ભારત દુનિયાની સેવા કરી શક્યું છે કેમકે ભારત આજે પણ દવાઓ અને વેક્સીનને લઈને સક્ષમ છે, આત્મનિર્ભર છે.
દેશના યુવાઓને કરી હતી આ અપીલ
દેશના યુવાઓને અપીલ કરી અને સાથે વખાણ કર્યા કે દેશના સ્વતંત્રતા સેનાનીના વિશે લખે. તેમની વીરગાથાઓ વિશે પણ લખં.
મહિલા પાયલટના કર્યા હતા ખૂબ વખાણ
પીએમ મોદીએ આ સમયે મહિલા પાયલટના ખૂબ વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું કે તમે પહેલા ડોયું હશે કે ભારતની 4 મહિલા પાયલટે નોન સ્ટોપ ફ્લાઈટની કમાન સંભાળી. તેઓએ 10 હજાર કિમીની મુસાફરી કરી. આ મહિલાઓએ ઈતિહાસ રચ્યો છે તેમને સલામ કરું છું.