આખી દુનિયામાં અત્યારે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દુનિયાભરના લીડર્સ, એક્ટર્સ, એક્ટ્રેસિસ લોકોને આ વાયરસથી બચવાની સલાહ આપી રહ્યાં છે. હાલમાં જ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને વધુને વધુ સમય ઘરે રહેવાની અપીલ કરી છે. મોટાભાગના બોલિવૂડ સેલિબ્રિટીસ પણ અત્યારે ઘરે જ રોકાયેલા છે. કોરોનાને કારણે બોલિવૂડની તમામ શૂટિંગ રોકી દેવામાં આવી છે. આ દરમિયાન કાર્તિક આયર્ને હાલમાં જ એક મોનોલોગ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તેણે ઘરથી બહાર ન નીકળવાની સલાહ આપી હતી.
જોકે, હવે એવું લાગે છે કે, પીએમ નરેન્દ્ર મોદીને તેનો આ વીડિયો ઘણો જ પસંદ આવી ગયો છે. તેમણે આ વીડિયો તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે અને લખ્યું છે-આ યુવાન એક્ટર કંઈક કહી રહ્યો છે. આ સમય વધુ સાવધાન રહેવાનો છે.
યંગ એક્ટર્સ કંઈક કહી રહ્યા છે.. આ સમય છે અને કોરોના કા પંચનામા કરવાનો છે. તેમણે કાર્તિકના વીડિયો સાથે આયુષ્માન ખુરાના, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવનના ટ્વિટ પણ શેર કર્યા હતા.
કાર્તિક આર્યને આ વીડિયો સોશિયલ મીડિયા પર 19 માર્ચે શેર કર્યો હતો. પ્યાર કા પંચનામા ફેમ કાર્તિક આર્યનનો આ મોનોલોગ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે. આ વીડિયો લોકોને ઘણો જ પસંદ આવી રહ્યો છે. કાર્તિકના વર્કફ્રંટની વાત કરીએ તો તે છેલ્લે સારા અલી ખાન સાથે લવ આજ કલ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આવનારા દિવસોમાં તે જાહ્નવી કપૂર સાથે દોસ્તાના-2 અને કિયારા અડવાણી સાથે ભૂલ ભૂલૈયા 2માં જોવા મળશે.