કારગિલ વિજય દિવસની આજે 22મી વર્ષગાંઠ છે આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે શહીદોની વીરતા અને બલિદાન યાદ રહેશે.
કારગિલ વિજય દિવસની આજે 22મી વર્ષગાંઠ
શહીદોની વીરતા અને બલિદાન યાદ રહેશેઃ પીએમ મોદી
મન કી બાતમાં પીએમ મોદીએ કર્યા શહીદોને યાદ
કારગિલ વિજય દિવસની આજે 22મી વર્ષગાંઠ છે. આ સમયે પીએમ મોદીએ તમામને શ્રદ્ધાંજલિ આપી છે જેઓએ કારગિલ યુદ્ધમાં પોતાનું બલિદાન આપ્યું છે. પીએમ મોદીએ ગયા વર્ષની મન કી બાતનો એક ભાગ શેર કર્યો છે. તેમાં તેઓએ કારગિલ યુદ્ધના એ શહીદોને નમન કર્યા છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે આપણે વીર શહીદોના બલિદાન અને તેમની વીરતાને યાદ કરીએ છીએ.
શું કહ્યું પીએમ મોદીએ
આજે કારગિલ વિજય દિવસ પર પીએમ મોદીએ કહ્યું કે અમે એ દરેકનને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેઓએ દેશની રક્ષા કરવા માટે પોતાના જીવ ખોવ્યા છે. તેમની બહાદુરી અમને રોજ પ્રેરિત કરે છે. સાથે પીએમ મોદીએ ગયા વર્ષની મન કી બાત કાર્યક્રમનો એક અંશ પણ ટ્વિટ કર્યો છે.
We remember their sacrifices.
We remember their valour.
Today, on Kargil Vijay Diwas we pay homage to all those who lost their lives in Kargil protecting our nation. Their bravery motivates us every single day.
આજે દ્રાસનો પ્રવાસ કરશે રાષ્ટ્રપતિ કોવિંદ
કારગિલ વિજય દિવસની 22મી વર્ષગાંઠ છે ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રાસની મુલાકાત લેશે. 1999માં કારગિલના યુદ્ધમાં ભારતીય સૈનિકોએ દેખાડેલા અદમ્ય સાહસ અને તેમના દ્વારા કરાયેલા સર્વોચ્ચ બલિદાનના કારણે કારગિલ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે અને વિજય દિવસ સમારોહમાં ભાગ પણ લેશે.
#UPDATE | President Ram Nath Kovind won’t be laying a wreath at Kargil War Memorial in Dras due to bad weather. The President would lay a wreath at Baramula War Memorial: Indian Army officials#KargilVijayDiwas2021https://t.co/fgAn2A3dVg
કારગિલ દિવસ પર રાહુલ ગાંધીએ ત્રિરંગા માટે બલિદાન આપનાર જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું,તમારું બલિદાન યાદ રાખવામાં આવશે
हमारे तिरंगे की गरिमा में अपनी जान देने वाले प्रत्येक सेनानी को दिल से श्रद्धांजलि। देश की सुरक्षा के लिए आपके व आपके परिवारों के इस सर्वोच्च बलिदान को हम हमेशा याद करेंगे।
कारगिल विजय दिवस पर इस युद्ध के सभी वीर सेनानियों का स्मरण करता हूँ। आपके अदम्य साहस, वीरता और बलिदान से ही कारगिल की दुर्गम पहाड़ियों पर तिरंगा पुनः गर्व से लहराया। देश की अखंडता को अक्षुण्ण रखने के आपके समर्पण को कृतज्ञ राष्ट्र नमन करता है।
કારગિલ વિજય દિવસનું આયોજન દર વર્ષે 26 જુલાઈએ કરાય છે. આ એ દિવસ છે જ્યારે ભારતીય સેનાએ કારગિલમાં દરેક ચોકીને પરત મેળવી હતી. તેની પર પાકિસ્તાનની સેનાએ કબ્જો કરી લીધો હતો. આ લડાઈ જમ્મૂ કાશ્મીરના કારગિલ જિલ્લામાં 1999માં થઈ હતી. મેથી જુલાઈની વચ્ચે આ લડાઈ થઈ હતી. પાકિસ્તાનના તત્કાલિન પ્રધાનમંત્રી નવાઝ શરીફની જાણકારી વિના તત્કાલિન પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફે કારગિલમાં ઘૂસપેઠ કરાવી હતી.