વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસ બાદ મંગળવારે ભારત પરત ફર્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત અરબ અમીરાત, બહેરીન અને ફ્રાંસના પ્રવાસે 22 ઓગસ્ટના રોજ રવાના થયા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસમાં G7 શિખર સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિવંગત નેતા અરૂણ જેટલીના નિવાસ સ્થાને જશે. જ્યાં તેઓ દિવંગત નેતા અરૂણ જેટલીના પરિવારજનોને સાંત્વના પાઠવશે. ઉલ્લેખનીય છે કે એઇમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અરૂણ જેટલીનું નિધન થયું હતું.
પીએમ મોદી સંયુક્ત અરબ અમીરાત અને બહેરીનની મુલાકાત બાદ જી7 સમિટમાં ઉપસ્થિત રહેવા ફ્રાંસ પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અલગથી મુલાકાત કરી હતી.
જેમાં કાશ્મીર મુદ્દે વાતચીત થઇ, જેમાં પીએમ મોદીએ કાશ્મીર મુદ્દે કોઇ ત્રીજા દેશનો હસ્તક્ષેપ ઇચ્છતા નથી તેમ જણાવ્યું હતું. જેને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ત્યારબાદ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાને ફગાવી દીધી હતી અને કાશ્મીર મુદ્દાને બંને દેશ (ભારત અને પાકિસ્તાન) વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો જણાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએઇમાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઓર્ડર ઓફ જાયદ' એનાયત કરાયો હતો. પીએમ મોદીને ભારત અને યુએઇના વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા આ સન્માન એનાયત કરવામાં આવ્યું.
આ સાથે પીએમ મોદી બહેરીનની મુલાકાતે પહોંચ્યા હતા. ભારતના કોઇપણ વડાપ્રધાનનો આ પ્રથમ ખાડી પ્રવાસ હતો. જેને લઇને બહેરીન સરકારે ભારતના 250 કેદીઓની સજા માફ કરી દીધી હતી.
Delhi: Prime Minister Narendra Modi returns to India after concluding his three nation visit to France, United Arab Emirates and Bahrain. pic.twitter.com/PUiiUsWWQh