બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના 3 દિવસીય ભારતના પ્રવાસે આવ્યા છે. જે અંતર્ગત આજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના સ્વાગત માટે વડાપ્રધાન મોદી હાજર રહ્યા હતા.
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી ભારતની મુલાકાતે આવ્યા
રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદીએ સ્વાગત કર્યું
સ્વાગત બાદ શેખ હસીનાએ ભારતને લઈને કહી આ વાત
ભારત પ્રવાસે આવેલા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના રિસ્પેશન સેરેમની રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ તેમને મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં રિસીવ કર્યા હતા. શેખ હસીના 8 સપ્ટેમ્બર સુધી ભારત પ્રવાસે આવેલા છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે 7 કરાર થઈ શકે છે.
Delhi | Prime Minister Narendra Modi and Bangladesh PM Sheikh Hasina arrive at Hyderabad House to hold a meeting. pic.twitter.com/FG2Pn9ehG5
રાષ્ટ્રપતિ ભવનમાં બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ કહ્યુ કે, જ્યારે લિબરેશન વોર થયું, અમારા દેશે જ્યારે સ્વાધીનતા અપનાવી ત્યારે ભારત અને અહીંના લોકોએ અમારો સાથ આપ્યો, સપોર્ટ કર્યો. તે કન્ટ્રીબ્યૂશન માટે હં ભારતની આભારી રહીશ.
#WATCH | Delhi: Speaking Hindi and Bengali, Bangladesh PM Sheikh Hasina expresses gratitude to India; also thanks for the country's contribution to the Bangladesh Liberation War. pic.twitter.com/Cq2Fdmg0sY
રાષ્ટ્રપતિ ભવનમાં શેખ હસીનાએ કહ્યું કે, ભારત અમારો મિત્ર છે. ભારત આવવાનું મારા માટે હંમેશા સુખદ રહ્યું કારણ કે અમને હંમેશા યાદ અપાવે છે કે, બાંગ્લાદેશની આઝાદીના સમયે શું યોગદાન આપ્યું હતું. અમારા સંબંધો મિત્રતાના છે અને અમે એકબીજાને સહયોગ કરીએ છીએ.
The ceremonial reception of Bangladesh PM Sheikh Hasina underway at the Rashtrapati Bhavan, in Delhi. pic.twitter.com/PJ1DChnXQe
શેખ હસીનાએ કહ્યું કે, અમારુ મુખ્ય ફોક્સ અમારા લોકોની વચ્ચે સહયોગ વધારવો, ગરીબી ખતમ કરવી અને ઈકોનોમીને વ્યવસ્થિત કરવાનો છે. આ મુદ્દા સાથે મળીને અમે બંને દેશ સાથે કામ કરીશું. તેનાથી ભારત-બાંગ્લાદેશ જ નહીં, પણ સમગ્ર દક્ષિણ એશિયાના લોકોને ઉત્તમ જીવન મળી શકશે. આજ અમારો ટાર્ગેટ છે.