પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પૂર્વ પીએમ રાજીવ ગાંધીની આજે (21 મે) પુણ્યતિથિ પર તેમને નમન કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટરના માધ્યમથી લખ્યું છે કે, પૂર્વી પીએમ રાજીવ ગાંધીને તેમની પુણ્યિતિથિ પર શ્રધ્ધાંજલી.
On his death anniversary, tributes to former PM Shri Rajiv Gandhi.
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર કોંગ્રેસ સોશિયલ મીડિયા પર #ThankYouRajivGandhi કેમ્પેઇન ચલાવી રહી છે. કોંગ્રેસ દ્વારા એક ટ્વિટમાં લખ્યું છે કે, રાજીવ ગાંધી એક એવા વ્યક્તિ હતા જેઓએ યુવા ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ કર્યાં. રાજીવ ગાંધી યુવા અને વૃદ્ધોની જરૂરિયાતોને સમજતા હતા અને તેઓને આદર આપતા હતા.
Rajiv Gandhi - the man who felt the pulse of a young India & steered us towards a brighter future. The man who understood the needs of the young & old and was loved by one and all.#ThankYouRajivGandhipic.twitter.com/j7iHESWEOf
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 29મી પુણ્યતિથિ પર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને પુત્ર રાહુલ ગાંધીએ તેમને યાદ કરતાં ટ્વિટ કર્યું છે કે એક સાચા દેશભક્ત, ઉદાર અને પરોપકારી પિતાનો પુત્ર હોવાનો મને ગર્વ છે. પ્રધાનમંત્રી તરીકે રાજીવજી એ દેશને પ્રગતિના પથ પર અગ્રસેર કર્યો.
एक सच्चे देशभक्त,उदार और परोपकारी पिता के पुत्र होने पर मुझे गर्व है।प्रधानमंत्री के रूप में राजीव जी ने देश को प्रगति के पथ पर अग्रसर किया।अपनी दूरंदेशी से देश के सशक्तीकरण के लिए उन्होंने ज़रूरी कदम उठाए।आज उनकी पुण्यतिथि पर मैं स्नेह और कृतज्ञता से उन्हें सादर नमन करता हूँ। pic.twitter.com/aDdKMf74wK
ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધીની 21 મે 1991ના દિવસે શ્રી પેરંબદૂરમાં એક આત્મઘાતી હુમલામાં હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધી ત્યાં એક ચૂંટણી સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન રાજીવ ગાંધીની પાસે એક મહિલા ફૂલોનો હાર લઇને પહોંચી અને તેની નજીક જઇને પોતાના શરીરને બોમ્બથી ઉડાવી દીધું.