વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગામી 11 માર્ચથી બે દિવસની ગુજરાતની મુલાકતે આવવાના છે.
PM મોદીના બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે
રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનું નિવેદન
11 અને 12 માર્ચે વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાશે, જેને લઈ ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આગામી 11મી માર્ચે PM મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ સંદર્ભે ગુજરાત ભાજપા દ્વારા તેમના કાર્યક્રમની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. PM મોદીનો ગુજરાત પ્રવાસના કાર્યક્રમને લઈ તૈયારીઓ અંગે આજે ભાજપ કોર ગ્રુપની બેઠક મળી હતી. જેમાં તેમના રોડ શો અને પુરા કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હતી.
PM મોદીના કાર્યક્રમની રૂપરેખા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મી માર્ચથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.11 માર્ચે સવારે 10.30 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી PM મોદી કમલમમાં જશે. એરપોર્ટથી કોબા સુધી રોડ શો યોજાશે. કમલમમાં ધારાસભ્યો, સાંસદ અને હોદ્દેદારો પ્રધાનમંત્રી બેઠક કરશે.જેમાં 450 લોકો સાથે સંવાદ કરશે. ત્યાર બાદ પધાનમંત્રી મોદી રાજભવનથી GMDC સેન્ટર જશે. જ્યાં સરપંચ સંમેલનમાં ભાગ લેશે. ત્યાર બાદ રાજભવનમાં રાજકીય બેઠકો થશે. 12 માર્ચે સવારે 11 વાગે PM મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના કોન્વોકેશન અને લોકાર્પણ કાર્યક્રમમાં જોડાશે. ત્યાર બાદ PM મોદી બપોરે 1 વાગ્યાથી 6 દરમિયાન રાજભવનમાં રોકાશે.ત્યાર બાદ સાંજે સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 2022ને ખુલ્લો મુકશે.ત્યાર બાદ પ્રધાનમંત્રી દિલ્લી જવા માટે રવાના થઈ જશે.