વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના કાર્યક્રમને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે અલગ અલગ વિસ્તારના વૈકલ્પિક રૂટની યાદી જાહેર કરી છે.
પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે
સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે.
સંજય શ્રીવાસ્તવે અલગ અલગ વિસ્તારના વૈકલ્પિક રૂટની યાદી કરી જાહેર
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામુ બહાર પાડીને અલગ-અલગ વિસ્તારના વૈકલ્પિક રૂટની યાદી જાહેર કરી છે. પીએમ મોદીના કાર્યક્રમને આધારે 29મી સપ્ટેમ્બરે અલગ-અલગ સમયે રૂટ પર વાહનોને ડાયવર્ટ કરાશે. જાહેરનામા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહી મા અંબાની આરતી ઉતારવાના છે ત્યારે તેઓની મુલાકાત પહેલા સાંજે 5 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી અંધજન મંડળ ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા સુધીને રસ્તો વાહનોની અવરજવર માટે બંધ રહેશે.
નેશનલ ગેમ્સનું ઓપનીંગ પ્રધાનમંત્રી દ્વારા 29મી સપ્ટેમ્બરે કરાશે, ત્યારે પીએમના કાર્યક્રમને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈને મોટેરા ટી સુધીનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
NFD સર્કલ સુધીનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે
30મી સપ્ટેમ્બરે પીએમ મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સવારના 8 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરધારા સર્કલથી NFD સર્કલ સુધીનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે. સાથે થલતેજ ચાર રસ્તાથી હિમાલયા મોલ સામેના રોડ પર અવર-જવર બંધ રહેશે. સાથે ગુરૂદ્વારા ચાર રસ્તાથી NFD સર્કલ સુધીનો માર્ગ પણ કાર્યક્રમ સુધી બંધ રહેશે.
પીએમ મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે
આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમોને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 29 સપ્ટેમ્બરના રોજ PM મોદી ભાવનગરમાં રોડ શો કરશે અને સભાને સંબોધશે. 29મીએ અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. 29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં હાજરી આપશે.
જાણો PM મોદીનો બે દિવસનો સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ
PM મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાત આવશે
29 સપ્ટેમ્બરે સવારમાં સુરત ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર
સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે
29 સપ્ટેમ્બરે ભાવનગરમાં રોડ શો અને સભાનું આયોજન
29 તારીખે અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે
29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં આપશે હાજરી
PM મોદી 29 સપ્ટેમ્બર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ
30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે PM
કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી
કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે
અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે PM
અમદાવાદથી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
દાંતા જવા રવાના થશે, અહીં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
30 તારીખે PM અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે
અંબાજી મંદિરે દર્શન કરી ગબ્બર ખાતે પણ દર્શન કરશે PM મોદી