વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન PM મોદી વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે
થરાદથી 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે
આગામી દિવસોમાં ખેડૂતોને ફાયદો થશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થયો છે, ત્યારે ફરી પીએમ મોદી 3 દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી વડોદરા, થરાદ, કેવડિયા અને માનગઢમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને જંગી જનસભાને સંબોધશે.
વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે
આવતીકાલે પીએમ મોદી બનાસકાંઠા જિલ્લાના થરાદથી 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત કરશે. જિલ્લામાં પાણીને લગતા વિવિધ કાર્યો સામેલ છે. થરાદથી પીએમ મોદી દ્વારા પાઈપલાઈન, ડિસ્ટ્રીબ્યુશન કેનાલ, ગામડાઓમાં પાણીસંગ્રહની વધારાની સુવિધાઓ, તેમજ નવા બેરેજ બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરવામાં આવશે. જેના કારણે આગામી દિવસોમાં ખેડૂતોને ફાયદો થશે. કામગીરીની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
કસરા-દાંતીવાડા પાઇપલાઈન
નર્મદા મુખ્ય નહેરમાંથી નાખવામાં આવશે પાઈપલાઈન
કસરાથી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન
બનાસકાંઠાના 74 અને પાટણના 32 ગામને મળશે લાભ
કુલ 7 હજાર 500 હેક્ટર વિસ્તારને મળશે લાભ
અંદાજે 4 હજાર 200 ખેડૂતોને મળશે લાભ
આ યોજના માટે અંદાજે 1 હજાર 566 કરોડનો ખર્ચ
ડીંડરોલ–મુક્તેશ્વર પાઇપલાઈન
સિદ્ધપુરના ડીંડરોલથી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન