ચૂંટણીની શતરંજ પથરાઇ ચૂકી છે, જ્યારે દેશનાં બંને દિગ્ગજ પક્ષો પોતાની જીત હાસિલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા, એક-બીજા પર શબ્દોના બાણ મારી રહ્યા છે. જ્યારે આજે આયોધ્યાથી પ્રિયંકા ગાંધીઓ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, પાંચ વર્ષથી દુનિયાભરના નેતાઓને ગળે મળનાર નરેન્દ્ર મોદી પાસે પોતાના લોકોને મળવાનો સમય નથી. પ્રધાન મંત્રી પોતાના જ સંસદીય ક્ષેત્ર વારાણસીના ગામોમાં લોકોને મળવા નથી ગયા. પ્રિયંકાએ મતદારોને કહ્યું કે, જ્યારે નેતા તમારી જોડે આવે ત્યારે તેમને તમારાથી બીક લાગવી જોઇએ.
પ્રિયંકાએ બીજેપી પર પ્રહાર કરતાં વધું જણાવ્યું કે, બીજેપીની સરકાર જનતા વિરોધી છે, ખેડૂતો અને યુવાનોની વિરોધી સરકાર છે. આ સરકાર ગરીબોની નહીં પણ મોટા ઉધોગપતિઓની સરકાર છે. યુવાનો રોજગારી માટે કે કોઇ મુદ્દે સરકારનો વિરોધ કરે તો તેમના પર લાઠીચાર્જ કરવામાં આવે છે. પ્રિયંકાએ વધુમાં કહ્યું કે, બીજેપના શાસનમાં યુવાનો પર લાઠીચાર્જ થયો છે અને ખેડૂતો વધારેને વધારે દેવામાં આવ્યા છે.
તમને જણાવી દઇએ કે, પ્રિયંકા ગાંધી વાડ્રાએ 18 માર્ચે પ્રયાગરાજના મનૈયા ઘાટ ખાતેથી ગંગા યાત્રાની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે સોફ્ટ હિન્દુત્વ દ્વારા ભાજપને ઘેર્યુ હતુ. તેમણે સંગમ પર હનુમાનની પૂજા -અર્ચના કરી સાથે જ અક્ષયવટના દર્શન પણ કર્યા હતા. ગાંધી-નેહરુ પરિવારમાંથી રાહુલ ગાંધીએ 2016માં અયોધ્યાનો પ્રવાસ કર્યો હતો અને હવે પ્રિયંકાનો પ્રવાસે છે.