પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (રવિવાર) રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ની મદદથી દેશવાસીઓને સંબોધિત કર્યા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રિ સહિત અન્ય તહેવારોની શુભકામના આપવાની સાથે સાથે 150મી ગાંધી જંયતીને વિશેષ બનાવવા માટે, સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી દેશ મુક્ત કરવાની અપીલ કરી.
'મન કી બાત' માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા
પીએમ મોદીએ બીજા કાર્યકાળ દરમિયાન ચોથી વખત કરી 'મન કી બાત'
તંબાકુ અને નશાથી દૂર રહેવા માટે અપીલ:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં તંબાકૂનો ઉલ્લેખ કરતા લોકોને નશાથી દૂર રહેવા માટે અપીલ કરી. તંબાકૂ જીવલેણ બિમારીઓને જન્મ આપે છે. તંબાકૂથી મગજના વિકાસ પ્રભાવિત થાય છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ માટે બચવાનો પ્રયત્ન કરવો જોઇએ. તાજેતરમાં જ ઇ-સિગરેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કેમકે તેમાં નુકસાનકારક કેમિકલ હોય છે અને લોકોને આ વાતની જાણકારી પણ નથી. ઇ-સિગરેટથી દૂર રહેવા માટે આગ્રહ કર્યો.
PM Narendra Modi: There is very little awareness among people about e-cigarettes. They are completely unaware of its danger and for this reason sometimes e-cigarettes find their way into homes out of curiosity. https://t.co/xi7zWbN2Qf
પીએમ મોદીએ કહ્યુ કે, ઇ-સિગરેટ વિશે ખોટી ધારણાઓ છે કે તેનાથી કોઇ ખતરો નથી. જ્યારે સામાન્ય સિગરેટથી અલગ ઇ-સિગરેટમાં નિકોટિન યુક્ત તરલ પદાર્થને ગરમ કરવાથી એક પ્રકારની કેમિકલ યુક્ત ધુમાડો બને છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી આઝાદીની અપીલ:
PM મોદીએ દેશવાસીઓને આવનારા 2 ઓક્ટોબરથી સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્તિ માટે શરૂ થનારા અભિયાનમાં શામેલ થવા માટે આગ્રહ કર્યો, બાપૂની 150મી જન્મજયંતી પર સ્વસ્છતાનો સંકલ્પ અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી આઝાદીનો સંકલ્પ કરવા માટે કહ્યુ.
PM મોદીએ આપી તહેવારોની શુભકામનાઓ:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં તહેવારોની શુભકામના આપતા કહ્યુ કે, ''તમામ નવરાત્રિ મહોત્સવ, ગરબા, દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, ભાઇદૂજ, છઠ પૂજા જેવા તહેવારો ઉજવશે. તમામને આવનારા તહેવારો માટે ખૂબ જ શુભકામનાઓ.''
PM મોદીએ આપી લતા મંગેશકરને જન્મદિવસની શુભકામનાઓ:
PM Modi in #MannKiBaat : There would hardly be anyone who does not show utmost regard for Lata Mangeshkar ji. She is elder to most of us and has been witness to different eras in the country. We address her as 'didi'. She turns 90 today. pic.twitter.com/aGBg67I4Kf
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં જણાવ્યુ કે, વિદેશ પ્રવાસ પહેલા જ લતા દીદી સાથે ફોન પર વાત કરી અને જન્મદિવસની શુભકામનાઓ આપતા કહ્યુ કે, સ્વાસ્થ્ય સારુ રહે, તમારા આશીર્વાદ રહે, માત્ર એટલી જ પ્રાર્થના કરું છું. તમને જણાવી દઇએ કે 28 સપ્ટેમ્બરના લતા મંગેશકરનો જન્મ દિવસ હતો, આ કારણે પીએમ મોદીએ અમેરિકન પ્રવાસ પર જતા પહેલા શુભકામના આપી.
સિસ્ટર મરિયન થ્રેસિયાની કરી વાત:
પ્રધાનમંત્રી મોદીએ માનવતા માટે સિસ્ટર મરિયન થ્રેસિયાની સેવાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, દેશને તેમના પર ગર્વ છે. સિસ્ટર મરિયન થ્રેસિયા 50 વર્ષની નાના જીવનકાળ દરમિયાન માનવતા ભલાઇ માટે જે કામ કર્યા, તે દુનિયા માટે મિસાલ છે. તમને જણાવી દઇએ કે, સિસ્ટર મરિયન થ્રેસિયાને આગામી મહિને વેટિકન સિટીમાં સન્માનિત કરવામાં આવશે અને તેમણે સંત જાહેર કરવામાં આવશે. ભારતમાં એવા અસાધરણ લોકોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે, તેઓ બીજા માટે જીવે છે. 13 ઓક્ટોબરના પોપ ફ્રાંસિસ સિસ્ટર મરિયન થ્રેસિયાને સંત જાહેર કરશે, જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે.
PM Modi in #MannKiBaat: It is a matter of pride for every Indian that on this 13th October, His Holiness Pope Francis will declare Sister Mariam Thresia(founder of the Congregation of the Holy Family) a saint. I pay my tributes to Sister Thresia pic.twitter.com/IFnvWClkXe
તમને જણાવી દઇએ કે, પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં દેશવાસીઓને સંબોધિત કરે છે. પીએમ મોદી બીજા કાર્યકાળમાં 'મન કી બાત'માં કાર્યક્રમ બીજી સિઝન છે. આ પહેલા 'મન કી બાત'માં કાર્યક્રમાં પીએમ મોદીએ ભારતના અંતરિક્ષ મિશન ચંદ્રયાન 2 પર પોતાના વિચારો રાખ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'મન કી બાત'માં દેશવાસીઓને પ્લાસ્ટિકના ઉપયોગના પ્રતિબંધ લગાવવાનો સંકલ્પ કરવાની અપીલ કરી. તમને જણાવી દઇએ કે 2 ઓક્ટોબરના મહાત્મગાંધીની જયંતી પર ભારતમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ પર પ્રતિબંધ લાગી જશે.