આજે પીએમ મોદીએ જનઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું અને તે બાદ લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો.
પશ્ચિમ બંગાળની રેલી પહેલા PM મોદીએ જનઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું
રોજગાર અને સ્વાસ્થ્ય સેવાને લઈને પીએમ મોદીએ કર્યો સંવાદ
ભારત દુનિયાની ફાર્મસી છે : પીએમ મોદી
આજે દેશભરમાં જનઔષધિ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ આજે જનઔષધિના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. નોંધનીય છે કે ગરીબોને સસ્તા દર પર દવા મળી રહે તે માટે સરકાર દેશના વિવિધ વિસ્તારોમાં જનઔષધિ કેન્દ્ર ખોલી રહી છે.
ગરીબોને સસ્તી દવા આપવામાં આવી રહી છે : પીએમ મોદી
જનઔષધિ દિવસ પીએમ મોદીએ કહ્યું કે જનઔષધિ યોજના દેશના ખૂણાખૂણામાં ચલાવનાર લોકો તથા તેના લાભાર્થીઓ સાથે વાતચીત કરવાનો અવસર આજે મળ્યો. આ યોજના ગરીબ અને વિશેષ રૂપથી મધ્યમ વર્ગના પરિવાર માટે ખૂબ મોટી સાથી બની ગઈ છે. ગરીબ સુધી સસ્તામાં દવાઓ પહોંચી રહી છે.
11 કરોડ સેનેટરી પેડ આપવામાં આવ્યા છે : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે જનઔષધિ કેન્દ્ર સસ્તી દવાઓની સાથે સાથે યુવાનોની આવકનું સાધન પણ બન્યું છે. અમારી બહેનો અને દીકરીઓને માત્ર અઢી રૂપિયામાં સેનેટરી પેડ આપવામાં આવી રહ્યા છે જેથી સ્વાસ્થ્ય સકરાત્મક અસર પડે છે.
વેક્સિનને લઈને મોટું નિવેદન આપ્યું
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત દુનિયાની ફાર્મસી છે તેવું હવે સિદ્ધ થઈ ગયું છે. આપણે વેક્સિન બનાવી. મેડ ઇન ઈન્ડિયા વેક્સિન ભારત જ નહીં પણ દુનિયા માટે છે. આપણે દુનિયામાં સૌથી સસ્તી વેક્સિન આપી રહ્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં વેક્સિનની કિંમત માત્ર 250 રૂપિયા છે.
રોજગાર પર પણ કર્યો દાવો
પીએમ મોદીએ કહ્યું કે જનઔષધિ યોજના સેવા અને રોજગાર બંનેનો માધ્યમ બની ગઈ છે. 11 કરોડથી વધારે સેનેટરી નેપકિન આપવામાં આવ્યા છે. એક હજારથી વધારે કેન્દ્ર તો એવા છે જે માત્ર મહિલાઓ ચલાવી રહી છે એટલે કે આ યોજના દેશની દીકરીઓને આત્મનિર્ભરતા માટે પ્રોત્સાહન આપી રહી છે. નોંધનીય છે કે આજે પીએમ મોદીએ 7500માં જનઔષધિ કેન્દ્રની શરૂઆત કરાવી હતી ત્યારે પીએમ મોદીએ કહ્યું કે આ યોજનાથી ફાર્મા સેક્ટરમાં સંભાવનાઓની તક ખૂલી છે. આજે મેડ ઇન ઈન્ડિયા દવાઓ તથા સર્જિકલની માંગ વધી રહી છે જેના કારણે રોજગારના અવસર ખૂબ વધી રહી છે.