પ્રધાનમંત્રી મોદીએ સરકારની રણનીતિ પર ચર્ચા કરવા માટે શુક્રવારે સંસદના ટોચના મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમની સાથે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પ્રહલાદ જોશી અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી જોવા મળ્યું છે કે, ભાજપ જ્યારે પણ કોઈ મોટા સ્તરની બેઠક યોજે છે, તો તેમાં કલ્યાણકારી યોજનાઓ પર ફોકસ વધારે હોય છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં પણ મોટા ભાગે કલ્યાણકારી યોજનાઓ પર પૂર્ણ કવરેજ આપી રહ્યા છે.
ગત મહિને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથેની બેઠક થઈ હતી. જેમાં પીએમ મોદીએ ઔદ્યોગિક માહોલને પ્રોત્સાહન આપવા માટે કહ્યું હતું. ચાર કલાકથી વધારે સમય સુધી ચાલેલી આ બેઠકમાં 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. આ અવસર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. ત્યારે ભાજપે એક નિવેદનમાં કહ્યું હતું કે, પીએમ મોદીએ ગતિશક્તિ, હર ઘર જલ, સ્વામિત્વ, પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ જેવી સરકારની અમુક મુખ્ય યોજનાઓ અને પહેલને વધુ સારી રીતે લાગૂ કરવા પર ભાર આપ્યો હતો.
પીએમ મોદીએ આ વાતનો કર્યો હતો ઉલ્લેખ
પોતાના નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું કે, મુખ્ય યોજનાઓને વધારે કવરેજ આપીને સફળતાપૂર્વક તેને લાગૂ કરવા ભાજપ શાસિત રાજ્યોએ આ દિશામાં આગળ વધવું જોઈએ. વેપારમાં સુગમતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર આપતા પીએમ મોદીએ પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલ પહેલનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ મુખ્યમંત્રીઓને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું કે, તેમના રાજ્યમાં રમતને યોગ્ય મહત્વ આપવામાં આવે અને મોટી સંખ્યામાં યુવાનોની ભાગીદારી અને જોડાવને પ્રોત્સાહન આપવા માટે સર્વોત્તમ સુવિધાઓ પુરી પાડવામાં આવે.