પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ, 2022ની પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર છે. તેઓ પોતાની ત્રણ દિવસીય જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસની યાત્રા અંતર્ગત સૌથી પહેલા જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા.
આ વર્ષની પ્રથમ વિદેશ યાત્રા પર છે પીએમ મોદી
ત્રણ દિવસીય વિદેશ યાત્રા પર પહોંચ્યા પીએમ મોદી
આજે જર્મનીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ, 2022ની પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર છે. તેઓ પોતાની ત્રણ દિવસીય જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસની યાત્રા અંતર્ગત સૌથી પહેલા જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. મોદીનું ત્યાં વસેલા ભારતીય સમુદાયે જે રીતે સ્વાગત કર્યું, તેનાથી ભારતનું ગૌરવ અને માન-સન્માન દુનિયાની સામે વધ્યું છે. મહિલાઓએ ભારતીય પરંપરાના હિસાબે મોદીનું સ્વાગત કર્યું હતું. તે ભારતીય ડ્રેસ પહેરીને આવ્યા હતા. બાળકોએ પણ મોદીની સામે પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. મોદી બાળકોને મળ્યા અને હિન્દીમાં સંવાદ કર્યો હતો. મોદી જ્યારે ભારતીય સમુદાયની વચ્ચે પહોંચ્યા, તો ભારત માતા કી જય, વંદે માતરમથી નારા ગુંજવા લાગ્યા હતા. દરેક ઉંમરના લોકો મોદી સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. ભારતીય મૂળના ગૌરાંગ કુટેઝા મોદી સાથે ફોટો પડાવવા માટે 400 કિમી દૂરથી બર્લિન આવ્યા હતા.
Earlier today, the Prime Minister landed in Berlin. The Indian community in Germany gave a warm welcome to him. pic.twitter.com/XXh40V8nON
બર્લિન બાદ પ્રધાનમંત્રી મોદી ડેનિશ સમકક્ષ મેટે ફ્રેડરિકસેનના નિમંત્રણ પર 3-4 મેના રોજ કોપેનહેગનની યાત્રાએ જશે. અહીં દ્વિપક્ષીય કાર્યક્રમ આયોજીત અને બીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેશે.
The colours and diversity of India are on display at Berlin’s iconic Brandenburg Gate. pic.twitter.com/nhBECQVLEp
બર્લિન જતાં પહેલા મોદીએ કહ્યું હતું કે, મારી યુરોપ યાત્રા એવા સમયે થઈ રહી છે, જ્યારે ચારેતરફ પડકારો અને વિકલ્પોનો સામનો કરી રહ્યા છીએ. હું મારા યુરોપિય ભાગીદારો સાથે સહયોગની ભાવનાને મજબૂત કરવા માટેનો ઈરાદો રાખું છે. તે ભારતની શાંતિ અને સમૃદ્ધિની શોધમાં મહત્વના સાથી છે.
બીજા વિશ્વ યુદ્ધની સમાપતિ બાદ 1951માં જર્મની સંઘીય ગણરાજ્યને માન્યતા આપનારું પ્રથમ રાજ્યોમાં ભારત એક છે. 1990ના દયાકમાં ભારતમાં આર્થિક ઉદારીકરણ અને શીત યુદ્ધના અંતમાં બે દેશોની વચ્ચે સંબંધોમાં ભારે મજબૂતી આવી છે.
ભારત અને જર્મનીમાં શૈક્ષણિક અને સંસ્કૃતિક આદાન-પ્રદાનની એક લાંબી પરંપરા છે. મેક્સમૂલર ભારતી-યુરોપિય ભાષાઓના પ્રથમ વિદ્વાન હતા, જેમણે ઉપનિષદ અને ઋગ્વેદનું અનુવાદ કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ 6 મહિના બાદ વિદેશ પ્રવાસે છે. ગત વર્ષે 29 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી ઈટલી અને યુકેની યાત્રા પર ગયા હતા. કોરોનાકાળમાં મોદી ચોથી વાર વિદેશ પ્રવાસે છે. 2021માં મોદીએ ત્રણ વિદેશ યાત્રાઓ કરી હતી. જ્યારે 2020માં કોરોના ચરમ પર હોવાના કારણએ વિદેશ યાત્રા કરી નહોતી.
Discussions continue between PM @narendramodi and Chancellor Scholz in Berlin. Both leaders are reviewing the full range of bilateral ties between India and Germany, including giving an impetus to trade as well as cultural linkages. @Bundeskanzlerpic.twitter.com/Wj3M8mVQjr
આપને જણાવી દઈએ કે, યુરોપ મહાદ્વિપમાં ભારતીય મૂળના લગભગ 10 લાખથી વધારે લોકો રહે છે. તેની મોટી સંખ્યા જર્મનીમાં છે. બર્લિનમાં જ્યારે પીએમ મોદીનો કાફલો નિકળ્યો, તો ત્યાં પણ લોકો હાજર રહ્યા હતા. પોતાની આ યાત્રાને લઈને પીએમ મોદી ખૂબ આશાંવિત છે.