પીએમ મોદીએ જોબ ફેર દ્વારા મંગળવારે નિમણૂક પત્રોનું વિતરણ કરી રહ્યા છે. મંગળવારે તેમણે કહ્યું હતું કે, યુવાનોને નોકરી આપવાની પ્રક્રિયા ચાલુ રહેશે. સરકારે 2023ના અંત પહેલા 10 લાખ નોકરીઓ આપવાની યોજના તૈયાર કરી છે. પીએમ મોદીએ નવા જોડાનાર યુવાનોનું સ્વાગત કર્યું અને તેમને શુભેચ્છા પાઠવી.
आज का ये विशाल रोज़गार मेला दिखाता है कि सरकार किस तरह सरकारी नौकरी देने के लिए मिशन मोड में काम कर रही है : PM नरेंद्र मोदी pic.twitter.com/7EJniumg1s
दिल्ली: रोज़गार मेला में केंद्रीय मंत्री डॉ जितेंद्र सिंह और नित्यानंद राय ने युवाओं को नियुक्ति पत्र सौंपे।
केंद्रीय मंत्री डॉ जितेंद्र सिंह ने कहा, "PM मोदी ने एक साल में 10 लाख लोगों को नियुक्ति पत्र देने की घोषणा की थी। आज 71 हज़ार से ज्यादा युवाओं को नियुक्ति पत्र दिए गए।" pic.twitter.com/Tnje7NyQ1d
યુવાનોને નિમણૂંક પત્રો આપવાનું કામ ચાલુ રહેશે
મંગળવારે પીએમ મોદીએ નવી નિમણૂક મળવાને કેન્દ્ર સરકારના પ્રતિનિધિ ગણાવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "રોજગાર મેળા સાથે જોડાયેલા તમામ યુવાન મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, આજે સાથે મળીને દેશના હજારો ઘરોમાં ખુશીઓની શરૂઆત થઈ ગઈ છે. તેમણે કહ્યું, "રોજગાર મેળા દ્વારા દેશના યુવાનોને નિમણૂક પત્રો આપવાનું આ અભિયાન સતત ચાલુ રહેશે.
दिल्ली: PM नरेंद्र मोदी ने 'रोज़गार मेला' कार्यक्रम में वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से हिस्सा लिया। प्रधानमंत्री ने बटन दबाकर 71 हज़ार से ज्यादा नव नियुक्त कर्मियों को नियुक्ति पत्र वितरित किए। pic.twitter.com/4Jcqa6uWZN
પીએલઆઈથી 60 લાખ નવી નોકરીઓ પેદા થવાની આશા
પીએમ મોદીએ જાણકારી આપી કે પીએલઆઈથી 60 લાખ નવી નોકરીઓ પેદા થવાની આશા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ જેવી પહેલો રોજગારીનું સર્જન કરે છે અને સ્વરોજગારીની તકો ઊભી કરે છે. આજે જે લોકો પોતાનો બિઝનેસ કરવા માંગે છે તેમને મુદ્રા લોનથી મોટી મદદ મળી રહી છે અને અત્યાર સુધીમાં 35 કરોડથી વધુ લોન આપવામાં આવી છે.
देश में अगले 1 साल में PM मोदी के द्वारा 10 लाख नौजवानों को रोज़गार के प्रमाण पत्र दिए जाएंगे...सरकार की योजनाओं के तहत सभी सरकारी कंपनियों में, फौज़ में और दूसरी संस्थाओं में रोज़गार के अवसर उपलब्ध हो रहे हैं: केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया, ग्वालियर(21.11) pic.twitter.com/FxjcEB8m4B
સરકારી અને બિન-સરકારી ક્ષેત્રમાં રોજગારીની પુષ્કળ સંભાવનાઓ
મોદીએ કહ્યું કે સરકારી અને બિન-સરકારી ક્ષેત્રમાં રોજગારીની પુષ્કળ સંભાવનાઓ છે અને આ તકો યુવાનો દ્વારા તેમના પોતાના ગામ અને શહેરમાં ઊભી કરવામાં આવી રહી છે. આપણા 80,000થી વધુ સ્ટાર્ટ-અપ્સ યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપી રહ્યા છે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, દેશમાં (ગુજરાત અને હિમાચલ પ્રદેશને બાદ કરતાં) 45 સ્થળોએ નવનિયુક્ત વ્યક્તિઓને નિમણૂક પત્રો સોંપવામાં આવ્યાં હતા. અગાઉ ભરતી કરવામાં આવેલી જગ્યાઓની શ્રેણીઓ ઉપરાંત શિક્ષકો, વ્યાખ્યાનો, નર્સો, નર્સિંગ અધિકારીઓ, ડોકટરો, ફાર્માસિસ્ટ, રેડિયોગ્રાફર અને અન્ય તકનીકી અને પેરામેડિકલ પોસ્ટ્સ માટે પણ ભરતી કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલય દ્વારા વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)માં પણ મોટી સંખ્યામાં પદો પર ભરતી કરવામાં આવી રહી છે.