14મી એપ્રિલના રોજ દેશમાં લોકડાઉન સમાપ્ત થવા જઈ રહ્યું છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી કેબિનેટ બેઠક યોજી હતી. જેમાં લોકડાઉનનો સમય પૂરો થાય ત્યાં સુધીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. કોરોના વાયરસના સંકટ વચ્ચે યોજાયેલ આ બેઠકમાં નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓના વખાણ કર્યા.
વીડિયો કોન્ફ્રેસિંગથી યોજાઈ મોદી કેબિનેટ
મંત્રીઓની સક્રિયતાના પીએમ મોદીએ કર્યા વખાણ
PMએ મંત્રીઓને લોકડાઉન બાદ જરૂરી હોય એવા 10 નિર્ણયોની લીસ્ટ બનવવા કહ્યું
કોરોના વાયરસના સંકટ વચ્ચે યોજાયેલ આ બેઠકમાં નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓના વખાણ કર્યા. કોરોના સામે જંગમાં મંત્રીઓની સક્રિયતાની પીએમ મોદીએ સરાહના કરી. સાથે જ મંત્રીઓએ જે ફીડબેક આપ્યા તેનાથી સરકારને સારો લાભ થયો. તથા રણનીતિ બનાવવામાં પણ મદદરૂપ થયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સાચી હકીકત જાણવા માટે નેતા રાજ્ય અને જિલ્લા પ્રશાસન સાથે સંવાદ કરે તે અતિઆવશ્યક છે, ખાસ કરીને તેવા જિલ્લાઓમાં જ્યાં કોરોના વાયરસનો ખતરો વધારે છે. સાથે જ ભવિષ્યમાં આવનાર મુશ્કેલીનું સમાધાન પણ ઉપલબ્ધ કરાવે.
આ કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લઈને પણ ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતોને દરેક મદદ કરશે. તેમણે કહ્યું કે લોકડાઉન ખતમ થઇ જાય પછીના સમય માટે રણનીતિ બનાવવી આવશ્યક છે. તેમણે મંત્રીઓને એવા 10 નિર્ણયોની લીસ્ટ બનવવા આદેશ કર્યો જે લોકડાઉન બાદ લેવા અતિઆવશ્યક હશે.