બુદ્ધ પૂર્ણિમાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળના પ્રવાસ માટે રવાના થયા છે. આ દરમિયાન તેઓ બૌદ્ધ વિદ્વાનો, બૌદ્ધ સાધુઓ તેમજ નેપાળ અને ભારતના લોકોને સંબોધિત કરશે.
નેપાળ સાથે અમારા સંબંધો બેજોડ છે.-PM મોદી
PM મોદી પાંચ વખત નેપાળની મુલાકાત લીધી
મુલાકાતનો હેતુ ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર નેપાળની મુલાકાતે જવા રવાના થયા છે. નેપાળના PM શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર તેઓ લુમ્બિનીની મુલાકાત લેશે. આ મુલાકાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ મુલાકાતનો હેતુ ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.
Delhi | Prime Minister Narendra Modi departs for Kushinagar, UP ahead of his visit to Nepal's Lumbini, at the invitation of Nepal PM Sher Bahadur Deuba on the occasion of #BuddhaPurnimapic.twitter.com/Vf3YXnaucR
PM મોદીએ કહ્યું કે નેપાળ સાથે અમારા સંબંધો બેજોડ છે. ભારત અને નેપાળ વચ્ચે સભ્યતાના સંબંધો પણ રહ્યા છે. બંને દેશો વચ્ચે લોકો વચ્ચેનો સંપર્ક ઘણો મજબૂત છે. મારી આ મુલાકાતનો હેતુ ઘણા દાયકાઓ અને ઘણી સદીઓથી સ્થપાયેલા આ સંબંધોને ઉજવવાનો અને મજબૂત કરવાનો છે. આ માટે બંને દેશો દ્વારા લાંબા સમયથી પરસ્પર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ છે PM મોદીનો કાર્યક્રમ
PM મોદી તેમની નેપાળ મુલાકાત દરમિયાન બુદ્ધ જયંતિના અવસર પર માયા દેવી મંદિરમાં પ્રાર્થના કરશે. તેમની સાથે નેપાળના PM દેઉબા પણ હશે. તમને જણાવી દઈએ કે માયા દેવી મંદિર લુમ્બિનીમાં એક ધાર્મિક કેન્દ્ર છે. આ સ્થાનને ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ માનવામાં આવે છે. PM મોદી અશોક સ્તંભની સામે દીપ પ્રગટાવશે. તેમજ બોધિ વૃક્ષને પણ જળ ચઢાવશે.
આ મુદ્દાઓ પર ચર્ચા કરાશે
PM નરેન્દ્ર મોદી નેપાળના PM દેઉબા સાથે હાઈડ્રોપાવર, ડેવલપમેન્ટ અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરશે.આ દ્વિપક્ષીય બેઠક બાદ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને શિક્ષણના ક્ષેત્રોમાં સહયોગને લઈને કેટલાક કરારો થશે. આ સાથે PM મોદી લુમ્બિની મઠ વિસ્તારમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજનો શિલાન્યાસ કરશે. PM મોદી નેપાળ સરકાર દ્વારા આયોજિત બુદ્ધ જયંતિની ઉજવણીમાં પણ ભાગ લેશે.આ સાથે તેઓ બૌદ્ધ વિદ્વાનો, બૌદ્ધ સાધુઓ તેમજ નેપાળ અને ભારતના લોકોને સંબોધિત કરશે.
PM મોદી પાંચ વખત નેપાળની મુલાકાત લીધી
વર્ષ 2014 પછી PM નરેન્દ્ર મોદીની નેપાળની આ પાંચમી મુલાકાત હશે. જ્યારે 2019માં બીજી વખત PM બન્યા બાદ આ તેમની પ્રથમ નેપાળ મુલાકાત હશે. તાજેતરના વર્ષોમાં ભારત અને નેપાળ વચ્ચે ઉચ્ચ સ્તરીય મુલાકાતો અને સત્તાવાર ક્રિયા પ્રતિક્રિયાઓ નોંધપાત્ર રીતે વધી છે. નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા ઓગસ્ટ 2017 અને એપ્રિલ 2022માં ભારતની મુલાકાતે આવ્યા હતા.તે જ સમયે, નેપાળ મુલાકાત પહેલા પીએમ મોદીએ કહ્યું કે હું નેપાળના વડા પ્રધાન દેઉબાને ફરી એકવાર મળવા માટે ઉત્સુક છું.