નરેન્દ્ર મોદી પોતાના દમદાર અને રસપ્રદ ભાષણ માટે ઓળખાય છે. ત્યારે જાણો કોણ છે પીએમ મોદીનું ભાષણ લખનારા અને કેટલા પૈસા મળે છે તેમને આ કામના.
ભાષણ લખનારી ટીમ કોણ છે અને તેમને કેટલા પૈસા મળે છે
પીએમ મોદી પોતે જ કરે છે ફાઈનલ એડિટીંગ
PMO એ આ સવાલોના જવાબ નથી આપ્યા
ભાષણ લખનારી ટીમ કોણ છે અને તેમને કેટલા પૈસા મળે છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના દમદાર અને રસપ્રદ ભાષણ માટે ઓળખાય છે. મન કી બાત હોય કે પછી બીજા કાર્યક્રમ પીએમ મોદી લગભગ દરેક દિવસે ભાષણ જરુર આપે છે. ભાજપની રેલીયો અને ચૂંટણી વિધાનસભાઓમાં પીએમ મોદીને સાંભળવા ભીડ ઉમટી પડે છે. આખરે કોણ લખે છે તેમની સ્પીચ? શું પીએમ પોતે આને લખે છે કે કોઈ તેને તૈયાર કરે છે. આખરે કોણ લખે છે તેમની સ્પીચ? શું પીએમ પોતે આને લખે છે કે કોઈ તેને તૈયાર કરે છે. ભાષણ લખનારી ટીમ કોણ છે અને તેમને કેટલા પૈસા મળે છે. રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ (RTI) અંતર્ગત પીએમ ઓફિસ(PMO)પાસે આ અંગે જાણકારી માંગવામાં આવી છે. ત્યારે જાણો પીએમઓએ પીએમના ભાષણને લઈને શું જવાબ આપ્યો.
પીએમ મોદી પોતે જ કરે છે ફાઈનલ એડિટિંગ
હકિકતમાં અંગ્રેજી વેબસાઈટ મુજબ પીએમ મોદીના ભાષણ અંગેની જાણકારી માટે પીએમઓમાં આરટીઆઈ અંતર્ગત અરજી દાખલ કરવામાં આવી હતી. તેના જવાબમાં પીએમઓએ જણાવ્યું કે પીએમ પોતાના ભાષણને અંતિમ રુપ પોતે જ આપે છે. જે અંતર્ગત જે પ્રકારની ઈવેન્ટ થાય છે તેમના મુજબ જ પીએમને અલગ અલગ વ્યક્તિઓ,અધિકારીઓ, વિભાગો, એકમો, સંગઠનો વગેરેથી જાણકારી આપવામાં આવે છે. આ જાણકારીના આધારે અંતિમ રુપથી ભાષણ પીએમ પોતે તૈયાર કરે છે.
PMO એ આ સવાલોના જવાબ નથી આપ્યા
PMO ને પૂછવામા આવ્યું કે પીએમનું ભાષણ લખવા કોઈ ટીમ છે? જો હા તો તેમના તેમાં કેટલા મેમ્બર હોય છે. તેમને કેટલું પેમેન્ટ કરવામાં આવે છે. જો કે PMO એ આ સવાલોના જવાબ નથી આપ્યા.
મોદીએ 2014ની ચૂંટણીમાં ભાજપને અપાવી જીત
નરેન્દ્ર મોદીએ 2014માં ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત અપાવી છે. ભાજપે મોદીને ચહેરો બનાવી લોકસભાની ચૂંટણી લડી. પ્રચાર દરમિયાન વિપક્ષ પર પ્રહાર કરતા દમદાર ભાષણ કર્યુ. જેનાથી તમામ વર્ગના લોકો અભિભૂત થઈ ગયા હતા.
વાતોથી શ્રોતાઓને આકર્ષવામાં મહેર
મોદીની સૌથી મોટી અને અસાધારણ વાત તેમની ભાષણ કલા છે અને તે પોતાની આ કલાથી શ્રોતાઓને મંત્ર મૃગ્ધ કરવાનું જાણે છે. વિકાસ અને અન્ય મુદ્દાઓ પર તે જેટલી સ્પષ્ટતા અને અસરકારક રીતે પોતાની વાત રાખે છે કે કોઈ તૈયારીઓ વગર પોતાના ભાષણથી લોકોની અસરકાર ક્ષમતા રાખે છે. દેશના અન્ય નેતાઓની જેમ લખેલુ ભાષણ નથી વાંચતા. તેમની વિશેષતા છે કે તે પોતાની વાક શૈલીથી કોઈ પણ પ્રકારના શ્રોતા વર્ગથી પોતાનો સંબંધ બનાવી લે છે.
પૂર્વ પીએમ પણ પોતે જ પોતાનું ભાષણ લખતા હતા
ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુથી લઈને પીએમ મોદી સુધી ભાષણ માટે અલગ અલગ સોર્સથી જાણકારી એકઠી કરવાનું ચલણ છે. પીએમના ભાષણ માટે પાર્ટી, મંત્રીઓ, વિષય જાણકારો, પીએમની ટીમ જાણકારી એકત્રિત કરે છે અને પછી તેમને અંતિમ રુપ આપવામાં આવે છે. જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, અટલબિહારી વાજપાઈ જેવા કુશળ પ્રવક્તા પોતાનું ભાષણ પોતે તૈયાર કરતા હતા.