PM નરેન્દ્ર મોદી આજે સાંજે અમિત શાહ અને રાજનાથસિંહ સાથે બેઠક કરી કોઈ મોટો નિર્ણય લઈ શકે છે
આંતકી હુમલાને લઈ ભારત હવે દરેક મોરચે સક્રિય
બેઠકનો મુખ્ય એજન્ડા શું છે એ હજી સુધી સામે આવ્યું નથી
સોમવારે મોડી રાતે લગભગ 2.30 વાગે ડ્રોન જોવા મળ્યું
આંતકી હુમલાને લઈ ભારત હવે દરેક મોરચે સક્રિય
દેશ પર ડ્રોન દ્વારા થયેલ આંતકી હુમલાને લઈ ભારત હવે દરેક મોરચે સક્રિય થઈ ગયા છે. બીજી બાજુ સંયુકત રાષ્ટ્રની ઉચ્ચસ્તરીય કોનફેરેન્સમાં પણ આ મામલો ઉછળ્યો હતો. તેથી જ PM નરેન્દ્ર મોદી આજે સાંજે અમિત શાહ અને રાજનાથસિંહ સાથે બેઠક કરી કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.
બેઠકનો મુખ્ય એજન્ડા શું છે એ હજી સુધી સામે આવ્યું નથી
આજે લગભગ ચાર વાગ્યે ઉચ્ચ સ્તરીય બેઠક કરવાના છે, પણ આ બેઠક પર કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સાથે જ આ બેઠકનો મુખ્ય એજન્ડા શું છે એ હજી સુધી સામે આવ્યું નથી, પણ માનવામાં આવે છે કે જમ્મુ કાશ્મીરમાં ડ્રોનને લઈ થયેલા હુમલાની ચર્ચા કરવામાં આવી શકે છે. સાથે જ આ બેઠકમાં સુરક્ષાથી જોડાયેલ મોત અધિકારીઓ પણ સામેલ થશે. જમ્મુ કાશ્મીરના એરફોર્સ બેઝ પર થયેલા હુમલા બાદ હવે બધી જ સુરક્ષા સંસ્થાઓને એલર્ટ પર રાખવામાં આવી છે. રક્ષા મંત્રી જેવા લદ્દાખની ત્રણ દિવસની યાત્રા પૂરી કરીને આવ્યા ત્યારે જ આ હુમલો થયો હતો.
જમ્મુમાં શનિવારે રવિવારે રાત્રે એરબેઝ પર થયેલા ડ્રોન અટેકની તપાસ હવે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને સોંપવામાં આવી છે. આ એટેકમાં જમ્મુ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યો હતો. ડ્રોન દ્વારા વિસ્ફોટક અંદર મોકલવામાં આવ્યા હતા. જેના કારણે બે નાના ધમાકા થયા હતા.
આતંકી એન્ગલથી પણ કરવામાં આવશે તપાસ
સુરક્ષા એજન્સિઓ આ મામલાની તપાસ આતંકી એન્ગલથી પણ કરી રહી છે. પરંતુ ઘટનામાં 48 કલાક બાદ પણ ડ્રોન્સને લઈને કોઈ ચોક્કસ જાણકારી નથી મળી. એવામાં હવે આ મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. એનઆઈએ ટૂંક સમયમાં જ આ મામલામાં કેસ દાખલ કરી શકે છે. જ્યાર બાદ તપાસ શરૂ કરી દેવામાં આવશે. એવો શક છે કે ડ્રોન એટેક પાછળ પાકિસ્તાની આતંકી સંગઠન હોઈ શકે છે.
સોમવારે મોડી રાતે લગભગ 2.30 વાગે ડ્રોન જોવા મળ્યું
મળતી માહિતી અનુસાર સોમવારે મોડી રાતે લગભગ 2.30 વાગે ડ્રોન જોવા મળ્યું હતું. જે થોડીવાર બાદ ગાયબ થઈ ગયું હતું. સુરક્ષાબળોનું આ ડ્રોન કુંજવાની, સુંજવાન અને કલચૂક વિસ્તારની પાસે જોવા મળ્યું છે. આર્મીને મોડી રાતે આ ડ્રોનની જાણકારી મળી હતી.