કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેટલાક લોકો ભારતની 130 કરોડ જનતાનું વિદેશમાં અપમાન કરી રહ્યા છે તેનાથી લોકોએ સાબદા રહેવું જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વગર કર્યા પ્રહારો
'કેટલાક લોકો લંડનમાં જઈ ભારતના લોકતંત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે'
ભારતની 130 કરોડ જનતાનું આવા લોકો અપમાન કરી રહ્યા છે
કર્ણાટક ખાતે એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેટલાક લોકો લંડનમાં જઈ ભારતના લોકતંત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે. પરંતુ આ એ જ ભૂમિ છે જ્યાં ગુરુ બસ્વેસશ્વરની મૂર્તિ છે પરંતુ ભગવાન બશ્વેશ્વર અને કર્ણાટક તેમજ ભારતની 130 કરોડ જનતાનું આવા લોકો અપમાન કરી રહ્યા છે તેનાથી લોકોએ સાબદા રહેવું જોઈએ.
#WATCH | "India is not only the largest democracy but is the mother of democracy...it's unfortunate that in London questions were raised about India's democracy...Some people are constantly questioning India's democracy...": PM Modi in Hubballi-Dharwad pic.twitter.com/PyBVul8rTg
ભારત માત્ર સૌથી મોટી લોકશાહી નથી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે ભારત માત્ર સૌથી મોટી લોકશાહી નથી પરંતુ લોકશાહીની જનની છે. એટલું જ નહીં ભારતની લોકશાહીની પરંપરાઓને નુકસાન પહોંચાડી શકવાની કોઈની તાકાત પણ નથી. છતાં પણ અમુક લોકો ભારતની લોકશાહી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. વધુમાં ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે મારું સદભાગ્ય હતું કે મેં થોડા સમય પહેલા લંડનમા જ ભગવાનની બસ્વેશ્વરની પ્રતિમાનું ઉદઘાટન કર્યું હતું. પરંતુ કમનસીબીએ છે કે હવે ભારતની લોકશાહી પર લંડનમા જ સવાલો ઉઠી રહ્યા છે.
કર્ણાટકના વિકાસને વખાણતા પીએમ મોદીએ કહ્યું...
કનેક્ટિવિટી મામલે કર્ણાટકના વિકાસને વખાણતા પીએમ મોદીએ કહ્યું કે કર્ણાટક આજે કનેક્ટિવિટી મામલે ટોચના સ્થાન પર પહોંચી ગયું છે રિદ્ધૃધા સ્વામીજી સ્ટેશન પાસે વિશ્વનું સૌથી મોટા પ્લેટફોર્મનું નિર્માણ કરાયું છે તો સ્વચ્છતા અને પાણી મામલે અમારી સરકાર એક હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટો હાથ ધરી રહ્યું છે.