પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવ તથા શ્રીલંકાના પ્રવાસ બાદ આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા. તિરુપતિની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાનનું રાજ્યપાલ નરસિમ્હન, મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી, કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડી તથા અન્ય અધિકારીઓએ વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
Tirupati: Prime Minister Narendra Modi arrives at Tirumala temple to offer prayers. Andhra Pradesh Chief Minister Jaganmohan Reddy also present. #AndhraPradeshpic.twitter.com/OXrRGQRvBq
જનસભાને કર્યું સંબોધન
ઉલ્લેખનીય છે કે, ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા પહેલા પ્રધાનમંત્રી મોદીએ એક જનસભાને સંબોધિત કરી હતી. તેમણે પોતાના ઉદબોધનમાં કહ્યું કે, લોકો ચૂંટણી પરિણામોના પ્રભાવમાંથી હાલ પણ બહાર નીકળી શક્યા નથી. આ તેમની મજબૂરી છે. રિપોર્ટ મુજબ આંધ્રમાં ટીડીપીની સરકાર જતા અને સામાન્ય ચૂંટણીઓમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ ચંદ્રબાબુ નાયડુ સામે આવ્યા નથી.
Tirupati: Prime Minister Narendra Modi & Andhra Pradesh Chief Minister Jaganmohan Reddy offer prayers to Lord Venkateshwara at Tirumala temple. #AndhraPradeshpic.twitter.com/KenLmROY7w
જગમોહન રેડ્ડીની નવી સરકારને અભિનંદન
તો આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમારા માટે હવે ચૂંટણીનો અધ્યાય સમાપ્ત થયો છે અને 130 કરોડ દેશવાસીઓની સેવાનો અધ્યાય પ્રારંભ થયો છે. દિલ્હીમાં દેશની જનતાએ ફરી એકવાર મજબૂત સરકાર બનાવી છે અને આંધ્ર પ્રદેશમાં પણ જગનમોહન રેડ્ડીની સરકાર બનાવી છે.
દિલ્હી જવા રવાના
આપને જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદીએ આંધ્રપ્રદેશની નવી સરકાર તથા મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીને અભિનંદન આપ્યા હતા. નોંધનીય છે કે, વિદેશ પ્રવાસ બાદ આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરે દર્શન કર્યા બાદ વડાપ્રધાન દિલ્હી જવા રવાના થયા હતા.