વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઇમાં ઘણી મેટ્રો યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પહેલા એમણે ગણપતિની પૂજા અર્ચના કરી. મુંબઇ પહોંચવા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એરપોર્ટ પર પીએમ મોદીની આગેવાની લીધી. પીએમ મોદીએ એક કાર્યક્રમને પણ સંબોધિત કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું કે, તમામ પરિયોજનાઓના મુંબઇના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવો આયામ આપશે, અહીંના લોકોના જીવનને સરળ બનાવવામાં મદદ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઇમાં ત્રણ મેટ્રો પરિયોજનાઓની આધારશિલા રાખ્યા બાદ લોકોને સંબોધિત કર્યા.
એમણે ઇસરોના વૈજ્ઞાનિકોની સરાહના કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના લોકોની સાદગી અને સ્નેહ મને હંમેશા અભીભૂત કરી દે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ગયો. આપની સાથે વાતચીત કરી. આપના સ્નેહ અને આર્શીર્વાદ માટે હું આપનો ખુબ જ આભારી છું.
Mumbai: Prime Minister Narendra Modi offers prayers at Lokmanya Seva Sangh Tilak Mandir in Vile Parle. pic.twitter.com/qovGdZUP8k
પીએમ મોદીએ કહ્યું કે પોતાના લક્ષ્યને માટે કેવી રીતે રાત દિવસ એક કરવામાં આવે છે, કેવી રીતે વિપરીત પરિસ્થિતિમાં પણ, મોટામાં મોટો પડકાર પૂણ તન્મયતાની સાથે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આવે છે. આ ઇસરોના આપણા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોથી શીખી શકાય છે. ચાંદ પર પહોંચવાનું લક્ષ્ય જરૂર પૂર્ણ થશે.
એમણે કહ્યું કે બાંદ્રા કુર્લાને એક્સપ્રેસ હાઇવે સાથે જોડનાર પ્રોજેક્ટ તો લાખો પ્રોફેશનલ્સ માટે ખુબ જ મોટી રાહત લઇને આવશે. બીકેસી એ બિઝનેસ એક્ટિવિટીનું મોટું સેન્ટર છે. અહીં આવવું અને જવું વધુ સરળ બનશે, ઓછો સમય લાગશે. આ તમામ પરિયોજનાઓ માટે હું આપ સૌને શુભકામના પાઠવું છું.
નોંધનીય છે કે ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં લગભગ 19 હજાર કરોડ રૂપિયાની ત્રણ અને મેટ્રો કોરિડોરની આધારશિલા મૂકી. આ પહેલા પીએમ મોદીએ વિલે પાર્લેમાં લોકમાન્ય સેવા સંઘ તિલક મંદિરમાં ગણપતિની પૂજા અર્ચના પણ કરી.