ગઈકાલે એટલે કે 15 ઓગસ્ટના રોજ પીએમ મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે જ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું હતું. PM મોદીએ આ સમયે કેસરિયા રાજપૂતી સાફો પહેર્યો હતો. આ સાફો ગુજરાતના સુરતમાં તૈયાર થયો હતો.સુજલસિંહે કુલ 5 અલગ અલગ ડિઝાઈન અને કલરના સાફા પીએમ માટે મોકલ્યા હતા. જેમાંથી પીએમ મોદીએ કેસરી કલરનો રાજપૂતી સાફો પહેરીને સંબોધન કર્યું જેના કારણે સુજલસિંહ ગૌરવાન્વિત અને આનંદિત થયા હતા.
PM મોદીએ સ્વતંત્રતા દિવસે પહેર્યો ખાસ રાજપૂતી સાફો
સુરતના તાપીના એક જિલ્લામાં તૈયાર થયો હતો આ ખાસ સાફો
સુજલસિંહ પરમાર સાફો બનાવવા અને પહેરાવવામાં છે નિપુણ
હા સુરતના તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડોડિયા ફળિયા ગામે રહેતા સુજલસિંહ પરમારે બનાવીને મોકલ્યો હતો. હંમેશા કોઈ ખાસ અવસર હોય એટલે PM નો પોષાક પણ ખાસ હોય જ. સ્વતંત્રતાના દિવસે પીએમ મોદીના પોષાકમાં સાફા માટે સુરતના આ ભાઈનો સંપર્ક કરવામાં આવ્યો. સુજલસિંહે કુલ 5 અલગ અલગ ડિઝાઈન અને કલરના સાફા પીએમ માટે મોકલ્યા હતા. જેમાંથી પીએમ મોદીએ કેસરી કલરનો રાજપૂતી સાફો પહેરીને સંબોધન કર્યું.
સુજલભાઈનો ગમતો સાફો પીએમએ પહેર્યો
સુજલસિંહ કહે છે કે, મને સાફો બનાવવા માટે કહેવામાં આાવ્યું હતું. આ ખાસ દિવસના ત્રણ ચાર દિવસ અગાઉ જ મારો સંપર્ક કરવામાં આવતાં મેં ફટાફટ પાંચેક સાફા તૈયાર કર્યા હતાં. સાફા બની જતાં એક બોક્સમાં મુકીને પાર્સલ કરી દીધા હતાં. આ સાફાઓમાં સૌથી વધુ મને જે કેસરિયા સાફો ગમ્યો હતો તે સાફો જ મોદી સાહેબે પહેર્યો હતો. જેથી મારો આનંદ બેવડાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર રાજપૂતી સાફો પહેર્યો હોવાથી સમાજના લોકો તરફથી સુજલસિંહ પર શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે. સુજલસિંહને સોશિયલ મીડિયા અને ફોન દ્વારા અભિનંદન પાઠવીને રાજપૂત સમાજનું ગૌરવ ગણાવવામાં આવી રહ્યાં છે. આ સાથે જ પરિવારના સભ્યો અને સુજલસિંહ પોતે પણ ખુશી અનુભવી રહ્યા છે.
સાફા બાંધવામાં આગવી ઓળખ
સુજલસિંહ વિશે વાત કરીએ તો તેઓ દક્ષિણ ગુજરાતમાં ખેતીવાડીની સાથે શોખથી સાફા બાંધવાનું કામ પણ કરે છે. સુજલસિંહ પાસે સાફો બાંધવાની ખાસ કળા છે. તેઓ ફક્ત 10 જ સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિને સાફો બાંધી શકે છે. ગામમાં કોઈને ઘરે પ્રસંગ હોય ત્યારે તેમને સાફો બાંધવા માટે બોલાવવામાં આવે છે. સુજલસિંહ તેમના શોખને વિશે કહે છે કે સામાજિક અને સહકારી અગ્રણી હોવાની સાથે તેઓ અન્ય યુવકોને પણ સાફો બાંધવાની કળા શીખવે છે.