ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે PM મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. વડાપ્રધાને પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું હતું કે, આ ધરતી ઝવેરચંદ મેઘાણી અને સરદારસિંહ રાણાની છે.
સુરેન્દ્રનગર: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે PM મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. વડાપ્રધાને પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું હતું કે, આ ધરતી ઝવેરચંદ મેઘાણી અને સરદારસિંહ રાણાની છે.
આ સાથે જ તેમણે કહ્યું હતું કે, મા ચામુંડાની ધરતીને નમન કરૂ છુ. 2019માં તમારા આશિર્વાદ લેવા આવ્યો છું તેવી વાત કરી હતી. તો તેમણે કહ્યું કે, ગયા વખતે ગુજરાતમાંથી 26માંથી 26 બેઠકો જીત્યા હતા અને આ વખતે સામેવાળાઓની જમાનત જપ્ત કરાવવાનો રેકોર્ડ બનાવીશું. આ જાહેરસભાનું આયોજન સુરેન્દ્રનગના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ.
આ સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમે એવો કોઇ વડાપ્રધાન જોયો છે જેને સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાના નામ આવડતા હોય. હું આજે સુરેન્દ્રનગરના કેટલાય લોકોને નામજોગ સંબોધી શકું છું.તો ઢાંકી પંપીંગ સ્ટેશનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ઢાંકી પંપીંગ સ્ટેશન એન્જીનીયરીંગનો ઉત્તમ નમૂનો છે. વિદ્યાર્થીઓને આજેપણ હું દેશમાંથી અહીં જોવા મોકલું છું.
હિંમતનગરમાં રાહુલ ગાંધીને લીધા આડેહાથ
લોકસભાની ચૂંટણીનો જંગ ચરમસીમાએ પહોચ્યો છે. ત્યારે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લીધી. સાબરકાંઠાના હિંમતનગરના પહોંચેલા પ્રધાનમંત્રીએ લોકોને 23મીએ ફરજિયાત મતદાન કરવાની અપીલ કરી સાથે જ વિપક્ષ પર જોરદાર વરસ્યા અને આડકતરી રીતે રાહુલ ગાંધીને કહ્યું કે જો તેઓ ફરી દિલ્લીની ગાદી પર બેસસે તો આખો તેમનો પરિવાર જેલમાં જશે.
આ ઉપરાંત કોંગ્રેસના ગરીબી હટાવવાના સંકલ્પ મુદ્દે પણ પ્રહાર કર્યા અને કહ્યું કે આ દેશમાં જ્યારે કોંગ્રેસ હટી જશે ત્યારે ગરીબી તેની મેળે જ હટી જશે. આ સાથે જ સંબોધનમાં ફરી એકવાર પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે અન્યાય સામે લડવામાં ઘર ઘરમાં ચોકીદાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ સભામાં મોટી સંખ્યમામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટ્યા હતા અને સભામાં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા.