પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે બીજી વખત 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન પ્રધાનમંત્રીએ જળસંરક્ષણ પર કહ્યુ કે, ''અમારી સરકારી જળનીતિઓ પર કામ કરી રહી છે.''
જળસંરક્ષણ માટે લોકો થઇ રહ્યા છે પ્રેરિત:
'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને સંબોઘિત કર્યા, કહ્યુ- 'જલસંરક્ષણ માટે સરકાર જલનીતિ પર કામ કરી રહી છે'@PMOIndia@narendramodi#MannKiBaat
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 28, 2019
PM મોદીએ કહ્યુ કે, ''જળસંરક્ષણ આજે મહત્વનો વિષય છે. દેશભરમાં આ માટે કાર્ય ચાલી રહ્યુ છે. રાંચીના કોરમામાં ગ્રામીણોને શ્રમદાન કરીને પહાડથી પડતા ઝરણાંને સંરક્ષિત કરીને એક મિસાલ રજૂ કરી છે. તમને જાણીને ખુશી થશે કે મિઝોરમ દેશનુ પહેલુ રાજ્ય છે, જેણે પોતાની જલ નીતિ તૈયાર કરી છે. હરિયાણા સરકાર ખેડૂતોને ઓછા પાણીવાળો પાક તૈયાર કરવા માટે પ્રેરિત કરી રહી છે.''
ચંદ્રયાન સંપૂર્ણ રીતે ભારતીય મિશન:
PM Narendra Modi in #MannKiBaat: This also proves that development is more powerful than guns and bombs. It is clear that those who want to create hatred & stall development will never succeed in their nefarious designs. https://t.co/GLSZuUHTub
મન કી બાતમાં 'ચંદ્રયાન 2' વિશે વાત કરતા કહ્યુ કે, તમને ચંદ્રયાન-2 અંગે ગર્વ થઈ રહ્યો છે. ઘણા લોકોએ મને વાત કરવાનો આગ્રહ કર્યો હતો. અમે એસેટ મિસાઈલથી અંતરિક્ષમાં હુમલો કરવા અને તેનાથી બચવાની શકિત પણ મેળવી લીધી છે. 'ચંદ્રયાન-2' મિશન ઘણી રીતે મહત્વનું છે. જે આપણને ચંદ્ર વિશે ઘણી જાણકારી આપશે. 'ચંદ્રયાન-2'થી આપણને વિશ્વાસ અને નિર્ભયતા મળી છે. જે સમગ્ર રીતે ભારતીય મિશન છે. જેને સ્પષ્ટ કરી દીધું છે કે આપણા વૈજ્ઞાનિકો સર્વશ્રેષ્ઠ છે. તેમને રેકોર્ડ સમયમાં તેને લોન્ચ કર્યું છે અને અડચણો છતા તેનો સમય બદલ્યો નથી. મને વિશ્વાસ છે કે આ મિશન યુવાનોને વિજ્ઞાન માટે લોકોને પ્રેરશે. હવે આપણે હવે સપ્ટેમ્બરમાં લેન્ડર અને રોવરના ઉતરવાની રાહ જોઈશું.
‘‘MyGov.com પર 1 ઓગસ્ટથી સ્પેસથી જોડાયેલી એક પ્રતિયોગિતાની શરૂઆત કરવામાં આવી રહી છે. તમામ રાજ્યોની શાળાઓ તેમાં ભાગ લે. વિજેતાઓને સરકાર પોતાના ખર્ચે શ્રી હરિકોટા લઇ જશે અને તથા તેઓ લેન્ડર અને રોવરની ચંદ્રમામા પર લેન્ડિંગ જોઇ શકશે.
દેશ સુંદર થઇ રહ્યો છે:
PM મોદીએ કહ્યુ કે, સ્વચ્છતા અભિયાન 130 કરોડ દેશવાસીઓને કારણે સંભવ થઇ શક્યુ છે. હવે દેશ વધારે સુંદર થઇ રહ્યો છે. યોગેશ સૌની જેવા ઘણા કલાકારો હવે બ્રિજ અને રસ્તાઓને સુધારવાનું કામ કરી રહ્યા છે. સ્ટ્રીટ પેન્ટિંગની મદદથી તેણે સુંદર બનાવવામાં આવી રહ્યો છે. હવે આપણે કચરાથી કંચન બનાવવાની તરફ આગળ વધવાનું છે. દેશભરમાં લોકો શ્રાવણ મહિનાને અલગ-અલગ રીતે ઉજવે છે. લોકો કાવડ યાત્રા અને અમરનાથ યાત્રામાં શામેલ થાય છે. હું જમ્મૂ-કાશ્મીરના લોકોની મહેમાનનવાજીની પ્રશંસા કરુ છું. અત્યાર સુધી 4 લાખથી વધુ લોકો અમરનાથની ગુફાના દર્શન કરી ચૂક્યા છે.
નફરત ફેલાવનારા નહી થાય સફળ:
PM Narendra Modi in #MannKiBaat: This also proves that development is more powerful than guns and bombs. It is clear that those who want to create hatred & stall development will never succeed in their nefarious designs. https://t.co/GLSZuUHTub
PM મોદીના અનુસાર, કાશ્મીરના લોકો વિકાસની મુખ્યધારા સાથે જોડાવા માટે તૈયાર છે. અધિકારીઓ દ્વારા ગામ ગામમાં જઈને સરકારી સેવાઓની માહિતી આપવામાં આવી રહી છે.પંચાયતોને મજબૂત બનાવવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. અધિકારીઓએ 2 દિવસ અને એક રાત ગામમાં જ વિતાવી હતી. અધિકારી શોપિયા, પુલવામા અને કુલગામ જેવા સરહદ પર આવેલા ગામોમાં પહોંચ્યા હતા. કાશ્મીરના લોકો વિકાસનો સાથ માગે છે. ગોળા-બારુદ અને બંદૂકોથી નફરત ફેલાવવા વાળા પણ હવે સફળ નહીં થાય.