PM મોદી બેસતા વર્ષે કેદારનાથ જવાના દર્શન કરવા જશે. આ પ્રસંગે ભારતના 100 પવિત્ર સ્થળોએ ભાજપ નેતા હાજર રહેશે જ્યા તેઓ માથું નમાવશે. સાથેજ તેઓ દરેક સ્થળે એલઈડી પર PM મોદીનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
વડાપ્રધાન મોદી જશે કેદારનાથના પ્રવાસે
100 ભાજપના નેતા પવિત્ર સ્થળે માથું નમાવશે
દરેક પવિત્ર સ્થળે PM મોદીનું એલઈડી પર લાઈવ ટેલિકાસ્ટ
શ્રીનગરમાં આવેલ પ્રસિદ્ધ શંકરાટચાર્ય મંદિર થી લઈને કેરળમાં આવેલ શંકરાચાર્ય મંદિર સાથેજ ગુજરાતના સોમનાથ મંદિર સુધી ભાજપના સાંસદ તેમજ દિગ્ગજ નેતાઓ 5 નવેમ્બરના રોજ 100 ધાર્મિક સ્થળોએ માથું નમાવશે.
સાધું સંતોને કાર્યક્રમમાં આમંત્રણ
જોકે આ પ્રસંગે PM મોદી પણ ઉત્તરાખંડમાં આવેલ કેદારનાથ મંદિરે દર્શન કરવા જવાના છે. નવા વર્ષે ભાજપ દ્વારા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ઓડિશામાં આવેલ પુરી, કર્ણાટકમાં શ્રૃંહેરી, ગુજરાકમાં દ્વારકા અને ઉત્તરાખંમાં જ્યોતિર્મઠ સહિત ચાર ધામ સાથે જોડાયેલા સાધુ સંતોને આમંત્રીત કરવામાં આવ્યા છે.
શ્રદ્ધાળુઓને પણ આમંત્રણ
વારાણસીમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર સહિકત 12 જ્યોર્તિલિંગો તેમજ 87 અન્ય મહત્વપૂર્ણ મંદિરો જેની સ્થાપના શંકરાચાર્યએ કરી હતી. તે દરેક મંદિરોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા મોટા ભાગના સાધું સંતો તેમજ શ્રદ્ધાંળુઓને નિમંત્રણ પણ આપવામાં આવ્યું છે.
દરેક સ્થળે PM મોદીનું એલઈડી પર લાઈ ટેલિકાસ્ટ
કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપના સાસંદો અને દરેક નેતા જ્યારે PM મોદી કેદારનાથ જશે. ત્યારે તેઓ 2 કલાક મહત્વપૂર્ણ પવિત્ર સ્થાનો પર હાજર રહેશે. જેમા મોટા ભાગના નેતા તેમના રાજ્યોમાં આવેલ પવિત્ર સ્થાનોએ હાજર રહેવાલા છે. PM મોદીના કાર્યક્રમોનું દરેક પવિત્ર સ્થળે લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જ્યા મોટી એલઈડી પર તેમનું ચેલીકાસ્ટ થશે.
શંકારચાર્યની સમાધીનું પુનનિર્માણ
ઉલ્લેખનીય છે કે 2013માં જ્યારે ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું હતું તે સમયે ત્યા શંકરાચાર્યની સમાધીને ઘણું નુકશાન થયું હતું. જોકે હવે ત્યા ફરીથી તેમની સમાધીનું પુનનિર્માણ કરવામાં આવ્યું છે જેમાં PM મોદી ફરી તે સમાધીનું લોકાર્પણ કરશે. સાથેજ 5 નવેમ્બરે તેઓ ત્યાથી સંબોધન પણ આપવાના છે.