દેશભરમાં નાગરિકતા સંશોધન એક્ટને લઇને વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે મંત્રીઓની ખાસ બેઠક બોલાવી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં 4 થી 5 મંત્રાલયોની રજૂઆત કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વાણિજ્ય, કોર્પોરેટ કંપનીઓ, ગ્રામીણ બાબતોના મંત્રાલય, ખાતરો અને રસાયણો મંત્રાલયનું પ્રેઝન્ટેશન થશે.
પ્રધાનમંત્રી મોદીએ બોલાવી ખાસ બેઠક
મંત્રાલયના કામકાજનું થશે પ્રેઝન્ટેશન
સામાન્ય રીતે, 100 દિવસ અથવા 6 મહિનાના કાર્ય માટે યોજનાઓ બનાવવામાં આવી છે. જો કે હવે પ્રધાનમંત્રી મોદીએ 2024 સુધી લક્ષ્ય નક્કી કરવાનો નિર્ણય લીધો છે. તેથી, મંત્રીઓને આગામી સાડા ચાર વર્ષ સુધી તેમનું હોમવર્ક શું છે તે અંગે અવગત કરવામાં આવશે.
મંત્રાલયના કામકાજ અંગે થશે રજૂઆત
નોંધનીય છે કે, આ બેઠકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મંત્રાલયોની એક સાથે રજૂઆત કરવામાં આવશે. નાણાં મંત્રાલય સંબંધિત વાણિજ્ય મંત્રાલય અને કોર્પોરેટ અને કંપનીની એક સાથે રજૂઆત કરવામાં આવશે. કૃષિ મંત્રાલય, ખાતરો અને રસાયણો મંત્રાલયની એક સાથે રજૂઆત કરવામાં આવશે. એ જ રીતે, બધા મંત્રાલયો દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી મોદીએ સરકારની નીતિઓ બનાવવા માટે ગ્રુપ ઓફ સેક્રેટરીઝ બનાવ્યા છે. તે વિભાગોના સચિવ પ્રેઝન્ટેશન રજૂ કરશે.
ક્યારે યોજાશે પ્રધાનમંત્રી મોદીની બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બેઠક શનિવાર સવારે 10 વાગ્યાથી શરૂ થઇને સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. બેઠકમાં પ્રવાસી ભારતી કેન્દ્રસ્થાને રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં તમામ મંત્રાલયનું પ્રેઝન્ટેશન યોજાશે. આ મોદી સરકારના બીજા કાર્યકાળની બીજી બેઠક હશે. જેમાં મંત્રાલયના કામકાજની સમીક્ષા કરવામાં આવશે.