દેશભરમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન ભારતના 14 જેટલા રાજ્યોમાં યોજાવા જઇ રહ્યું છે જે પૈકી ગુજરાતની કુલ 26 લોકસભાની બેઠકો ઉપર પણ મતદાન થવાનું છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે ગુજરાત આવવાના છે.
ગાંધીનગર: દેશભરમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન ભારતના 14 જેટલા રાજ્યોમાં યોજાવા જઇ રહ્યું છે જે પૈકી ગુજરાતની કુલ 26 લોકસભાની બેઠકો ઉપર પણ મતદાન થવાનું છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે ગુજરાત આવવાના છે.
આ મામલે મળતી વિગતો મુજબ મંગળવારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. જેના અનુસંધાને પીએમ મોદી આજે સાંજે અમદાવાદમાં આવશે. પીએમ મોદી ગાંધીનગરના રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.
આ સાથે જ મંગળવારની સવારે પીએમ મોદી માતા હીરાબાના આશીર્વાદ લઈને મતદાન કરવા માટે રાણીપ ખાતે આવેલ નિશાન સ્કૂલમાં પહોંચવાના છે.રાણીપના મતદાન મથકમાં મતદાર તરીકે નોંધાયેલા હોવાથી તેઓ મતદાન કરવા માટે આવનાર છે.
વડાપ્રધાન આજે સાંજે ગુજરાતમાં આવવાના હોવાથી અમદાવાદ અને ગાંધીનગરમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો આ સાથે જ વડપ્રધાન રાણીપ ખાતે આવેલ સ્કૂલમાં મતદાન કરવા જવાના હોવાથી ત્યાં પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. PM મોદી રાણીપ ખાતે મતદાન કરીને ઓરિસ્સા જવાના છે તેવી જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ છે.