અન્નોત્સવ કાર્યક્રમમાં આજે વડાપ્રધાન મોદીએ ગરીબ પરિવારો સાથે વાત કરી હતી. જેમા રાજકોટના ગરીબ પરિવારોને કહ્યું કે હુ પહેલીવાર રાજકોટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો હતો. તામરુ ઋણ સદાય મારા પર રહેશે.
ગુજરાતમાં આજે અન્નોત્સવ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં અનાજની વહેચણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ ગરીબ પરિવારો સાથે વાતચીત કરી હતી. સાથેજ ગરીબ પરિવારોને અનાજની વહેચણી પણ કરવામાં આવી હતી. જેને લઈને પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રાજકોટવાસીઓનું ઋણ મારા માથે છે : PM મોદી
વડાપ્રધાન મોદીએ રાજકોટના લાભાર્થીઓ સાથે વાત કરતા કહ્યું હતું કે હુ રાજકોટમાં પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂટાયો હતો. જેથી રાજકોટવાસીઓનું ઋણ કાયમ માટે મારા માથે છે. જોકે ગરીબોના અનાજની વહેચણી કરવામાં આવી જેના કારણે તેમના પરિવારમાં આજે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
દાહોદમાં CM રૂપાણની અધ્યક્ષતાાં આ કાર્યક્રમ યોજાયો હતો જ્યા વડાપ્રધાને વીડિયો કોન્ફરસ્ન દ્વારા ગરીબ પરીવારો સાથે વાત કરી. જેમા તેમણે કહ્યું કે કુલ 4.25 ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સીધી વાત કરવામાં આવી હતી.
ગરીબોના મનમાં હવે સરકાર માટે વિશ્વાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ કહ્યું કે આજે દેશનો કોઈ પણ ગરીબ ભૂખ્યો ન સૂવો જોઈએ. દરેક ગરીબને ખાવાનું મળી રહેવું છે. સાથેજ તેમણે કહ્યું કે ગરીબોના મનમાં હવે સરકાર માટે વિશ્વાસ છે.
બોગસ લાભાર્થીઓને હટાવામાં આવ્યા
વધુમાં PM મોદી બોલ્યા કે કોરોનાકાળા બાદ લાકો લાભાર્થીઓને નિશુલ્ક અનાજ આપવામાં આવ્યું છે. સાથેજ લાખો એવા બોગસ લાભાર્થીઓ પણ હતા જેમને હટાવામાં આવ્યા છે. ઉપરાંત તેમણે કહ્યું કે કોરોના મહામારીમાં પણ કોઈ પણ ગરીબને ભૂખ્યા સુવા નથી દીઘા.
વડનગરના લાભાર્થી સાથે વાતચીત
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ વડનગરના લાભાર્થી સાથે પણ વાત કરી હતી. જેમા લાભાર્થીએ તેમનો આભાર માન્યો સાથેજ તેણે એવું પણ કહ્યું હતું કે સરકારની ગરીબ કલ્યાણ યોજનામાં પણ તેમને જરૂરી સાધન સામગ્રી પહેલા મળી ચૂકી છે.