સુરત: આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી ન્યૂ ઈન્ડિયા યુથ કોન્કલેવ નામથી સુરતના ઈનડોર સ્ટેડિયમમાં 15000થી વધુ પ્રોફેશનલ સાથે સંવાદ કરવાના છે. પ્રધાનમંત્રીના આ કાર્યક્રમ માટે મેડીસન સ્ક્વેર ગાર્ડનની થીમ પર રિવોલ્વિંગ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે.
આ સ્ટેજને ફરતો રાખવા માટેની મશીનરી સુરતના એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના યુવાના સાથેના સંવાદમાં શહેરના ડોકટર્સ વકીલો ટેક્સ કન્સલ્ટન્ટ ટેકનોક્રેટ વગેરે ઉપસ્થિત રહેશે.
જ્યારે આ ઉપરાંત સુરતમાં એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમૂર્હુત અને 1 હજાર કરોડના પ્રોજેક્ટસનું લોકાર્પણ કરશે તો નવસારીના ઐતિહાસિક દાંડીમાં 110 કરોડના ખર્ચે આકાર લઈ રહેલા ગાંધી નમક સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ સ્મારકને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે.
દાંડીકૂચમાં બાપુની 18 ફૂટની પંચ ધાતુની પ્રતિમા મુકવામાં આવી છે. દાંડીકૂચ દરમિયાન બાપૂ સાથે જોડાયેલા આઝાદીમાં જોડાયેલા 81 લડવૈયાઓની પ્રતિમા સાથે દાંડીકૂચને જીવંત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મેડિસન સ્ક્વેરની જેમ આપશે ભાષણ
સુરતના ઈનડોર સ્ટેડિયમમાં પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાના મેડિસન સ્કવેર ગાર્ડનની થીમ પર સંબોધન કરશે. 30 જાન્યુઆરીએ સાંજે 5.30 કલાકે આયોજીત આ કાર્યક્રમમાં મોદી સુરતના 15 હજારથી વધુ પ્રોફેશનલને સંબોધશે. મેડિસન સ્કવેરની માફક સુરતમાં પણ મોદી રિવોલ્વિંગ સ્ટેજ પર બેસીને ભાષણ આપશે. તેમણે 2014માં અમેરિકાના પ્રવાસ વખતે મેડિસન સ્કવેર ગાર્ડનમાં હાજર મેદનીને આ રીતે જ સંબોધન કર્યુ હતું.
PM મોદીનો ગુજરાત પ્રવાસ જાણો
PM મોદી સુરત અને નવાસારીની મુલાકાતે
PM મોદીની ગુજરાતમાં કુલ 4 સભાઓ
બપોરે 1.15 વાગે સુરત એરપોર્ટ પર PMનુ આગમન
1.30 વાગે નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિગનું ખાતમુહૂર્ત
PM મોદીના હસ્તે સુરત-શારજાહ ઈન્ટરનેશનલ ફ્લાઈટને ફ્લેગઓફ
સુરત મનપાના 1 હજાર કરોડના પ્રોજેક્ટનું PMના હસ્તે લોકાર્પણ
સુરતમાં કુલ 3 બ્રિજનું PM મોદીના હસ્તે લોકાર્પણ
ખાતમુહૂર્ત બાદ PM મોદીની સુરતમાં સભા
2.00 વાગે સુરત એરપોર્ટથી વિનસ હોસ્પિટલ જવા રવાના
2.20 વાગે વિનસ હોસ્પિટલનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન
વિનસ હોસ્પિટલના ઉદ્ઘાટન બાદ PM મોદીની સભા
3.05 વાગે વિનસ હોસ્પિટલથી PM મોદી એરપોર્ટ જવા રવાના
3.30 વાગે PM મોદી એરપોર્ટથી દાંડી નવસારી જવા રવાના
3.50 વાગે દાંડીમાં PM મોદીની હાજરીમાં કાર્યક્રમ
રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનુ PM મોદીના હસ્તે લોકાર્પણ
દાંડીમાં PM મોદીની જાહેર સભા
5.30 વાગે દાંડીથી PM મોદી સુરત એરપોર્ટ જવા રવાના
5.50 વાગે સુરત એરપોર્ટથી ઈન્ડોર સ્ટેડિયમ જવા રવાના
6.10થી 7.10 સુધી ઈન્ડોર સ્ટેડિયમમાં PM મોદીનો કાર્યક્રમ
ઈન્ડોર સ્ટેડિયમમાં ન્યૂ ઈંડિયા યુથ કોન્ક્લેવનું કાર્યક્રમ
ઈન્ડોર સ્ટેડિયમમાં PM મોદીની સભા
વકીલ ડૉક્ટર્સ વિદ્યાર્થીઓને સંબોધશે PM મોદી
7.30 વાગે PM મોદી સુરત એરપોર્ટથી દિલ્લી જવા રવાના