પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબરે ગુજરાતની 3 પ્રમુખ પરિયોજનાઓનું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ધાટન કરવાના છે. તે ગુજરાતના ખેડૂતો માટે ‘કિસાન સૂર્યોદય યોજના’નો આરંભ કરશે. પ્રધાનમંત્રી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યુએન મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની સાથે પીડિયાસ્ટ્રિક હાર્ટ હોસ્પિટલ અને ટેલી કાર્ડિયોલોજી માટે એક મોબાઈલ એપ્લીકેશનનું ઉદ્ઘાટન કરશે ત્યારે આ પ્રસંગે ગિરનારમાં એક રોપવે પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરશે.
ખેડૂત સવારે 5થી રાતના 9 વાગ્યા સુધી વીજળી મેળવી શકશે
બાકીના જિલ્લાઓને 2022-23માં તબક્કાવાર રીતે કવર કરવામાં આવશે
‘કિસાન સૂર્યોદય યોજના’ - સિંચાઈ માટે દિવસે વીજળી પુરી પાડવા માટે મુખ્ય મંત્રી વિજય રુપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે હાલમાં ‘કિસાન સૂર્યોદય યોજના’ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ખેડૂત સવારે 5થી રાતના 9 વાગ્યા સુધી વીજળી મેળવી શકે. રાજ્ય સરકારે 2023 સુધી આ યોજના હેઠળ માળખાગત વ્યવસ્થા સ્થાપિત કરવા માટે 3500 કરોડનું બજેટ ફાળવ્યું છે.
આ યોજનામાં 2020-21માં દાહોદ, પાટણ, મહિસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, વલસાડ, ખેડા, આણંદ અને ગીર સોમનાથનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાકીના જિલ્લાઓને 2022-23માં તબક્કાવાર રીતે કવર કરવામાં આવશે.
ટેલી કાર્ડિયોલોજી માટે એક મોબાઈલ એપ્લીકેશન- પીએમ સિવિલ હોસ્પિટલમાં યુએન મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની સાથે પીડિયાસ્ટ્રિક હાર્ટ હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે. તેમજ સિવિલમાં ટેલી કાર્ડિયોલોજી મોબાઈલ એપ શરુ કરશે. યુએન મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજીને 470 કરોડનો ખર્ચ કરી વિકસાવવામાં આવી છે. બેડની સંખ્યા 450થી વધારે 1251 કરાઈ છે. આ દુનિયાના સૌથી મોટા સુપર સ્પેશિયલિટી કાર્ડિયક હોસ્પિટલોમાંની એક હશે. આની બિલ્ડિંગોને ભૂકંપમાં અડીખમ રહી શકે તેવી તેમજ અગ્નિશમન હાઈડ્રેટ પ્રણાલી અને ફાયર મિસ્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ અપાઈ છે. અહીં 14 ઓપરેશન થિયેટર સેન્ટર અને 7 કાર્ડિયક કૈથીટેરાઈજેશન લેબ પણ શરુ કરાશે.
ગિરનાર રોપ વે ઉદ્ધાટન- પીએમ દ્વારા ગિરનારમાં રોપ વેનું ઉદ્ધાટન કરવામાં આવશે. જેમાં 8 લોકો બેસી શકશે. જે 25-30 કેબીન અને 2.3 કિલોમીટરનું અંતર 7.5 મિનિટમાં કવર કરવાની ક્ષમતા ધરાવનારું છે.