વડાપ્રઘાન મોદી આજે ભાજપના દિગ્ગજ નેતા એલ કે અડવાણીના જન્મદિવસે તેમના ઘરે પહોચ્યા હતા. જ્યા તેમણે તેમને જન્મદિવસની શુભકામના પાઠવી. આ પ્રસંગે ગૃહમંત્રી અમિતશાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન મોદી એલ કે અડવાણીના ઘરે પહોચ્યા
ઘરે પહોચીને તેમણે અડવાણીજીને જન્મદિવસની પાઠવી શુભકાના
ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંક્ષી રાજનાથ સિંહે પણ આપી હાજરી
Delhi: Veteran BJP leader LK Advani's birthday being celebrated at his residence today.
PM Narendra Modi, Vice President M Venkaiah Naidu, Defence Minister Rajnath Singh, Union Home Minister Amit Shah and BJP national president JP Nadda also present. pic.twitter.com/Rw9B1FS1yO
ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો આજે જન્મ દિવસ છે. તેઓ આજે 94 વર્ષના થયા છે. ત્યારે આ પ્રસંગે આજે પીએમ મોદી દિલ્હીમાં તેમના આવાસ સ્થાને પહોચ્યા હતા. જ્યા તેમણે તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. પીએમ મોદીએ ગુલદસ્તો આપીને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી સાથેજ તેમની સાથે ઘણી ચર્ચા પણ કરી.
ઉપરાષ્ટ્રપતિ પણ હાજર રહ્યા
આ પ્રસંગે પીએમ મોદીની સાથે ઉપરાષ્ટ્રપતિ વેંક્યા નાયડૂં, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિતશાહ સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહવ પણ હાજર રહ્યા હતા. ત્યારે સૌની સાથે મળીને દિગ્ગજ નેતા એલ કે અડવાણીએ કેક પણ કાપી હતી.
રક્ષામંત્રીએ કર્યા વખાણ
રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે અડવાણીજીને એક પ્રેરણા અને માર્ગદર્શક ગણાવ્યા હતા. તેમણે કહ્યું તેમની ગણતરી સૌથી સન્માનીત નેતાઓમાં થતી હોય છે. સાથેજ તેમણે કહ્યું તેમની વિદ્ધતા, દૂરદર્શિતા અને બુદ્ધિનો દરેક લોકો સ્વીકાર કરે છે. સાથેજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ તેમના વખાણ કર્યા હતા.
કરોડો કાર્યકર્તા માટે અડવાણીજી પ્રેરણા રૂપ: જે પી નડ્ડા
જે પી નડ્ડાએ કહ્યું પાર્ટીને અહીયા સુધી પહોચાડવામાં સાથેજ દેશના વિકાસમાં તેમનો મોટા ફાળો રહેલો છે. તેમણે લાલકૃષ્ણ અડવાણીના લાંબા અને સ્વસ્થ જીવન માટે પાર્થના કરી હતી. ઉપરાંત તેમણે પ્રશંસા કરકતા એવું પણ કહ્યું હતું કે અડવાણીજી પાર્ટીના કોરોડો કાર્યકર્તાઓ માટે એક પ્રેરણા રૂપ છે.
કેજરીવાલે પણ શુભકામના પાઠવી
ઉલ્લેખનીય છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આજે ટ્વીટર પણ અડવાણીજી માટે ટ્વીટ કર્યું હતું જેમા તેમણે તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. સાથેજ તેમણે પણ તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી.