વડાપ્રધાન મોદીએ આજે બ્રિટનના PM બોરિસ જોનસન સાથે ચર્ચા કરી હતી. જેમા તેમણે કોરોના વાયરસ તેમજ આંતરરાષ્ટ્રીય યાત્રાને લઈને પણ ચર્ચા કરી હતી.
વડાપ્રધાન મોદીએ બ્રિટનના PM બોરિસ જોનસન સાથે કરી વાત
કોરોના વાયરસ આંતરરાષ્ટ્રીય યાત્રા પર તઈ ચર્ચા
ભારતની વેક્સિનને માન્યતા આપવા બદલ કર્યું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિટનના પીએમ બોરીસ જોનશન સાથે વાત કરી. COP26 શીખર સંમેલન પહેલા બંને દેશના નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે. આપને જણાવી દીએ કે 31 ઓક્ટબરથી 12 નવેમ્બર સુધી COP26 શિખર સંમેલનનું આયોજન કરવામાં આવશે.
જલવાયું પરિવર્તન પર થઈ ચર્ચા
બ્રિટનના પીએમ બોરીસ જોનશને અફઘાનિસ્તાનમાં માનવ અધિકારો બનાવી રાખવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ વાતચીત બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ભારત-યૂકે એજન્ડા 2030 પર તેમણે પ્રગતિની સમીક્ષા કરી. જેમા COP26 સંમેલનને લઈમે તેમણે જલાવાયું પરિવર્તન વચ્ચે ચર્ચા થઈ હતી.
બંને દેશના સંબંધો મજબૂત કરવા થઈ ચર્ચા
આપને જણાવી દીએ કે બ્રિટેનમાં ડાઉનિંગ સટ્રીટના પ્રવક્તાએ કહ્યું કે પીએમ બોરીસ જોનસને ભારતના પીએમ સાથે વાત કરી હતી. તેમણે ભારત સાથાના સંબંધો મજબૂત કરવા ચર્ચા કરી સાથેજ 2030ને લઇને પણ તેમણે ચર્ચા કરી હતી.
વેપાર તેમજ રક્ષા મુદ્દે પણ કરવામાં ચર્ચા
બંન્ને દેશના વેપાર તેમજ રક્ષા મુદ્દે પણ બંને દેશના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. જેમા યુકે કેરિયર સ્ટ્રાઈક ગ્રુપની ભારતની આગામી યાત્રા સાથેજ બંને દેશની રણનિતીને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. આ વાતચીત બાદ હવે બ્રિટન અને ભારતના સંબંધો પહેલા કરતા વધારે મજબૂત થશે તેવી આશા સેવાઈ રહી છે.
કોરોના વાયરસ મુદ્દે પણ કરવામાં આવી ચર્ચા
ઉલ્લેખનીય છે કે બ્રિટિશ સરકારના પ્રવક્તાએ કહ્યું છે કે પીએમ જોનસન અને પીએમ મોદીએ ખાસ કરીને કોરોના વાયરસની લડાઈ સામે ચર્ચા કરી હતી. ઉપરાંત તેમણે આંતરરાષ્ટ્રીય યાત્રાઓને ખોલવાને લઈને પણ મહત્વની ચર્ચા કરી હતી. સાથેજ યુવકેમાં ભારતની વેક્સિનને માન્યતા આપવામાં આવી તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.