કુલભૂષણ જાધવની ફાંસી પર આખરે પ્રતિબંધ લગાવી દેવાયો છે. ICJનો ભારતની તરફેણમાં ચૂકાદો આવી ગયો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. મહત્વનું છે કે 16માંથી 15 જજ ભારતના પક્ષમાં રહ્યાં. માત્ર એક જ જજ પાકિસ્તાનના સમર્થનમાં હતા. ત્યારે આ ચુકાદાને પ્રધાનમંત્રીએ આવકાર્યો હતો.
We welcome today’s verdict in the @CIJ_ICJ. Truth and justice have prevailed. Congratulations to the ICJ for a verdict based on extensive study of facts. I am sure Kulbhushan Jadhav will get justice.
Our Government will always work for the safety and welfare of every Indian.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર આ નિર્ણયને આવકારતા લખ્યું હતું કે, સત્ય અને ન્યાયની હંમેશા રક્ષા થવી જોઇએ. આ સાથે જ તેમણે ICJ ને આ નિર્ણય માટે શુભેચ્છા પાઠવી હતી. કારણ કે, આ નિર્ણય સંભળાવતા પહેલા તેમણે તથ્યોનું અધ્યયન કરવું પડ્યું હશે.
પ્રધાનમંત્રીએ લખ્યું કે, મને વિશ્વાસ છે કે, કુલભૂષણ જાધવને જરૂર ન્યાય મળશે. અમારી સરકાર, ભારતના દરેક નાગરિકની સુરક્ષા અને સંભાળ માટે કાયમ કામ કરશે. દરેક ભારતીયોને બચાવવામાં આવશે.
સુષમા સ્વરાજે ICJ ના ચુકાદાનું કર્યું સ્વાગત
I wholeheartedly welcome the verdict of International Court of Justice in the case of Kulbhushan Jadhav. It is a great victory for India. /1
ICJ ના આ નિર્ણયનું પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ સ્વાગત કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આ ભારત માટે મોટી જીત છે. તેમણે વધુમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય કોર્ટના આ નિર્ણયનું હું સન્માન કરું છું.
પી ચિદમ્બરમે કહ્યું- નિર્ણય ન્યાયને દર્શાવનાર છે
ICJ delivers ‘justice’ in the true sense of that word, upholding human rights, due procedure and the rule of law
ભૂતપૂર્વ નાણા પ્રધાન અને કોંગ્રેસના પીઢ નેતા પી ચિદમ્બરમે કહ્યું છે કે આઇસીજેનો આ નિર્ણય સાચો અર્થમાં 'ન્યાયને દર્શાવનાર છે. આ નિર્ણયે માનવ અધિકારોનું સંરક્ષણ કર્યુ છે, અને વિધિની પ્રક્રિયા સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે.
ભારતનો આ સુપુત્ર દેશ પરત જરૂર આવવો જોઇએ -અરવિંદ કેજરીવાલ
I warmly welcome the ICJ judgment staying the execution of Kulbhushan Jadhav & granting consular access to India. Truth and justice prevails. This son of our soil must be back soon with his family.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ICJના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું ICJ ના આ નિર્ણયનું સ્વાગત કરું છું. ભારતનો આ સુપુત્ર દેશ પરત જરૂર આવવો જોઇએ.