ભાવનગરમાં વડાપ્રધાન મોદીએ જનસભા સંબોધી; 'સંકલ્પ માટે ખપી જવાની કોશિસ હોય તો સિદ્ધિ અવશ્ય પાપ્ત થઈને જ રહેતી હોય એટલે આજે ગુજરાત ઉજળું છે'
ભાવનગરમાં PM મોદીની જનસભા
આ ચૂંટણી આવતા 25 વર્ષના વિકાસ માટેની છે:PM મોદી
'દુનિયાભરનું મૂડીરોકાણ આ દરિયાકાંઠે આવવાનું છે'
વિધાનસભા ચૂંટણીને લઈ ત્રણયે પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી ગઈ છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓના ઉપરા છાપરી ગુજરાત પ્રવાસ થઈ રહ્યાં છે અને સભાઓ ગજવી રહ્યા છે. ગુજરાત સર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના અંતરાળ બાદ ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ મહેસાણા, વડોદરા, દાહોદ સભા ગજવી ત્યારે બાદ ભાવનગરમાં પણ સભા ગજવી હતી. ભાવનગરમાં વડાપ્રધાન મોદીએ સ્વામિનારાયણ મંદિરમાં જનસભા સંબોધી છે.
આ ચૂંટણી ગુજરાતના આવતા 25 વર્ષના વિકાસ માટેની છે: PM મોદી
વડાપ્રધાન મોદી જનસભાને સંબોધતા જણાવ્યું કે, વિશાળ જનસાગર અમને આશીર્વાદ આપવા આવી રહ્યો છે મહારાજા કૃષ્ણકુમારસિંહની પાવન ધરતી પર આવ્યો છું અને તેમનો એક ભારત શ્રેષ્ઠ ભારતમાં ખૂબ મોટો યોગદાન રહ્યો હતો એવા યુગ પુરુષની ધરતીને વંદન કરૂ છું તેમણે જણાવ્યું કે, આ ચૂંટણી કોની સરકાર બને, કોણ મંત્રી બને કોણ ન બને, કોણ ધારસભ્ય બને તેના માટેની નથી આ ચૂંટણી ગુજરાતના આવતા 25 વર્ષના વિકાસ માટેની ચૂંટણી છે. તેમણે કહ્યું કે, હવેના સપના,સંકલ્પ બદલાવાના છે આપણે વિકસિત ગુજરાત બનાવવાનું છું દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડવોનો છે. તેમણે કહ્યું કે, કમળનું બટન દબાવો અને વિકસિત ગુજરાત બનાવો તેમણે કહ્યું કે, જૂની પેઢીને કોંગ્રેસની ખબર છે. ભાજપ એટલે સમસ્યાના સ્થાઈ સમાધાન માટે દિવસ રાત કામ કરતી પાર્ટી. તેમણે કહ્યું કે પ્રગતિ માટે પાણી અને વીજળીની જરૂર પડે છે.
ભાવનગરમાં PM મોદીનું મોટું નિવેદન
વડાપ્રધાન મોદીએ વિકાસ ગાથા વર્ણવતા જણાવ્યું હતું કે દરિયા કિનારે મોટું મૂડી રોકાણ કરાશે અને ધોલેરામાં દોઢ લાખ કરોડ રૂપિયાના રોકાણ થકી 2 લાખ નોકરીઓના અવસર પણ પેદા થશે
દુનિયાભરનું મૂડીરોકાણ આ દરિયાકાંઠે આવવાનું છે: PM મોદી
તેમણે કહ્યું કે, સપના જોવાનું સામર્થ હોય અને સંકલ્પ લેવાની પ્રતિબદ્ધતા અને સંકલ્પ માટે ખપી જવાની કોશિસ હોય તો સિદ્ધિ અવશ્ય પાપ્ત થઈને જ રહેતી હોય એટલે આજે ગુજરાત ઉજળું છે. તેમણે કહ્યું કે વીજળી અને પાણી સાથે અનેક કામ કર્યો છે, ભાજપ સરકારે આધુનિકરણ કરવાનું કામ કર્યું છે ભાવનગર પાર્ટને મજબૂતાઈ કરવાનું કામ કર્યું છે તેમણે કહ્યું કે, પહેલું કેમિકલ ટર્મિનલ, પહેલું LNG ટર્મિનલ, દુનિયા પહેલા CNG ટર્મિનલ પણ ભાવનગરમાં બન્યું છે. તેમણે જણાવ્યું કે, વિશ્વમાં માટામાં મોટુ ગ્રીન હાઈડ્રોજન બનાવવાનું સપનું વિચાર્યું છે દુનિયાભરનું મૂડીરોકાણ આ દરિયાકાંઠે આવવાનું છે.
કોંગ્રેસ અને ભાજપની વિચારધારા
તેમણે ઉમેર્યું કે, આંખા જીવનમાં પરિવર્તન આવે તે દિશામાં અમે કામ કરી રહ્યાં છીએ તેમણે કહ્યું કે, પહેલા માછીમારો માટે કોઈ મંત્રાલય ન હતું પરંતુ આ માદી સરકારે જૂદુ મંત્રાલય બનાવ્યું, જૂદુ બજેટ પણ બનાવી અમે માછીમારોની ચિંતા કરી છે. 20 વર્ષ પહેલા 10 કરોડથી ઓછો ખર્ચો થતો હતો આજે સમુદ્ર તટ, મછલી પાલન માટે અત્યારે 1 હજાર કરોડનું બજેટ કર્યું છે. ક્યાં કોંગ્રેસની 10 હજાર કરોડની વિચારધારા અને ક્યાં ભાજપની 1 હજાર કરોડની વિચાર ધારા. PM મોદીએ જણાવ્યું કે, મને સતત કામ કરવા માટે હિન્દુસ્થાનના ખૂણે ખૂણેથી માતાઓ બહેનોએ આશીર્વાદ આપ્યા છે.