દેશના લગભગ 10 કરોડ ખેડૂતોને માટે મોટી સહાય બની રહી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ. આ સ્કીમનો ફાયદો હવે પ્રવાસી શ્રમિકોને પણ મળશે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ તેની સાથે જોડાયેલી માહિતી આપી છે. શ્રમિકોને ફક્ત 3 ડોક્યૂમેન્ટ એટલે કે ખેતીની જમીન સાથે જોડાયેલા દસ્તાવેજ, બેંક ખાતા નંબર અને આધાર કાર્ડ આપવાનું રહેશે. શરત પૂરી કરનારા શ્રમિકોનું રજિસ્ટ્રેશન કરાવતા સરકાર રૂપિયા આપવા તૈયાર છે. આ માટે શ્રમિકના નામે ખેતર હોવું જોઈએ, હવે રજિસ્ટ્રેશન માટે ક્યાંય જવાની જરૂર નથી. જાતે જ સ્કીમની વેબસાઈટ પર જઈને ખેડૂત ફોર્મર કોર્નરની મદદથી આવેદન પત્રક ભરી શકે છે.
શ્રમિકોને મળશે આ સ્કીમનો લાભ
ફક્ત 3 ડોક્યૂમેન્ટની મદદથી કરી શકાશે આવેદન
આ શરતોનું પાલન કરવાનું જરૂરી રહેશે
આ 3 ડોક્યૂમેન્ટ રહેશે જરૂરી
સરકારી જાણકારીમાં કહેવાયું છે કે આ સ્કીમમાં રજિસ્ટ્રેશનને માટે જરૂરી છે કે તમારી પાસે આધાર કાર્ડ અને બેંકનું ખાતું હોય. આ સિવાય ખેતીની જમીનના દસ્તાવેજ પણ હોય તે જરૂરી છે. આ ડેટાને રાજ્ય સરકાર વેરિફાઈ કરે છે ત્યારે કેન્દ્ર સરકાર પૈસા મોકલે છે.
ઘરે બેઠાં આ રીતે કરી લો રજિસ્ટ્રેશન
સ્ટેપ-1 તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને માટે લોન્ચ કરેલી અધિકારીક વેબસાઈટ https://www.pmkisan.gov.in/ પર જવાનું રહેશે.
સ્ટેપ-2 અહીં તમને હોમપેજ પર ટેબ્સ આપવામાં આવ્યા છે તેમાંથી ‘Farmers Corner’ ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ -3 અહીં આપવામાં આવેલા વિકલ્પોમાંથી ‘New Farmers Registration’નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
સ્ટેપ -4 ત્યારબાદ એક નવું પેજ ખૂલશે. તેમાંથી તમારે તમારો આધાર નંબર નોંધાવવાનો રહેશે અને સાથે જ કેપ્ચા કોડ પણ નોંધવાનો રહેશે.
સ્ટેપ -5 તમારી ડિટેલ પહેલાં નોંધાઈ ન હતી. આ માટે record not found લખેલું આવશે. નીચે ‘New Farmers Registration’નો વિકલ્પ હશે. તેની પર ક્લિક કરો.
સ્ટેપ -6 હવે તમારી સામે એક રજિસ્ટ્રેશન ફોર્મ આવશે. અહીં તમારે તમારા રાજ્ય, જિલ્લા, બ્લોક, ગામ, નામ, કેટેગરી, જેન્ડર, ખેતીનો રકબો, બેંકનું નામ, આધાર કાર્ડ, બેંક ખાતા અને આઈએફસી નંબર, મોબાઈલ નંબર, જન્મતિથિ અને પિતાનું નામ વગેરે ભરવાનું રહેશે.
સ્ટેપ -7 આખું ફોર્મ ભર્યા બાદ નીચે જાણકારી સાચી ભરી છે તેની જાણકારી માટે સત્યાપન કરવા માટે ચેક કરવાનું રહેશે. સેવ પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ-8 તેની સાથે તમારા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થશે. જો તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી યોગ્ય હશે તો ફરી તમારા મેસેજની મદદથી તેની યોગ્યતા તપાસાશે.