પાકિસ્તાનના ઇસ્લામાબાદથી મોટા સમાચાર મળી રહ્યા છે. ઇમરાન ખાનને પાકિસ્તાન કેબિનેટ સચિવાલયે તાત્કાલિક અસરથી પ્રધાનમંત્રી પદથી હટવા માટે એક નોટિફિકેશન જાહેર કરી દીધું છે.
પાકિસ્તાન રાજકીય હડકંપ
પાકિસ્તાન કેબિનેટ સચિવાલયે જાહેર કર્યું નોટિફિકેશન
પ્રધાનમંત્રી પદેથી ઇમરાન ખાનને હટાવ્યા
મળતી માહિતી અનુસાર, નોટિફિકેસનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરફથી નેશનલ એમ્બેસી ભંગ કરી દેવાઇ હતી. ત્યારે, ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરે ફગાવી દીધો હતો. ત્યારબાદ ઇમરાન ખાન સત્તાથી બેદખલ કરવાના વિપક્ષના પ્રયાસથી બચી ગયા હતા.
જણાવી દઇએ કે ડેપ્યૂટી સ્પીકર દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યા બાદ વિપક્ષે આ ગેરબંધારણિય ગણાવ્યું હતું. ત્યારે, નેશનલ એસેમ્બલી ભંગ થવા વિરુદ્ધ વિપક્ષે રવિવારે સુપ્રીમ કોર્ટનું વલણ રાખ્યું હતું.
ત્યારબાદ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની પીઠે રવિવારે નેશનલ એસેમ્બલીને ભંગ કરવા પર વિપક્ષની અરજી પર સુનાવણી શરૂ કરી. પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ ઉમર અતા બંદિયાલે કહ્યું કે, નેશનલ એસેમ્બ્લી ભંગ થવાના સંબંધમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિના તમામ આદેશ અને કોર્ટના આદેશને આધીન હશે.