રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પસાર થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહ પ્રધાન અમિત શાહની પીઠ થપ-થપાવીને પ્રશંસા કરી હતી. રાજ્યસભામાં ગૃહમંત્રીએ સવાલોના જવાબો આપ્યા અને તે પછી બિલ પાસ કરવામાં આવેલ.
ઉલ્લેખનીય છે કે, બિલ પસાર થયા બાદ રાજ્યસભાની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી. કાર્યવાહી સ્થગિત થતાની સાથે જ અમિત શાહે પીએમ મોદીનો હાથ પકડીને નતમસ્તક થયા હતા. ત્યારબાદ પીએમ મોદીએ અમિત શાહની પીઠ પર થપ-થપાવી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી અમિત શાહને પાઠવ્યા અભિનંદન
પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને અમિત શાહને અભિનંદન આપતા કહ્યું કે, ગૃહમંત્રી અમિત શાહનું રાજ્યસભામાં ભાષણ વ્યાપક અને વ્યાવહારિક હતું. તેમણે પોતાના ભાષણમાં અતીતના અન્યાયને ઉજાગર કર્યો અને જમ્મુ કાશ્મીરના ભાઇ બહેનો માટે અમારા દ્રષ્ટિકોણને પ્રસ્તુત કર્યો.
સુષમા સ્વરાજે પાઠવી શુભેચ્છા
Prime Minister Narendra Modi and Home Minister Amit Shah in Rajya Sabha after the House was adjourned. The Jammu & Kashmir Reorganisation Bill, 2019 was passed, today. #Article370pic.twitter.com/t8zosg1fLS
આ સાથે જ, પૂર્વ વિદેશી મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજે પણ રાજ્યસભામાં ભાષણ માટે અમિત શાહને શુભેચ્છા પાઠવી હતી, સુષમા સ્વરાજે ટ્વીટમાં લખ્યું કે, 'ગૃહમંત્રીશ્રી અમિત શાહ જીને ઉત્તમ ભાષણ માટે ખુબ-ખુબ શુભકામના પાઠવી.'
મોદી હે તો મુમકીન હે : અરુણ જેટલી
પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલી ટ્વીટ કરીને કહ્યું, પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ઇતિહાસમાં એક જગ્યા અર્જિત કરી છે. આજે તેમણે જે સ્પષ્ટતા અને દ્રઢ સંકલ્પ દેખાડ્યો છે. તે સાબિત કરે છે કે મોદી હે તો મુમકીન હે, સમગ્ર દેશને શુભેચ્છા.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ સંવિધાનના અનુચ્છેદ 370 અને 35 A ને હટાવવાના ઐતિહાસિક નિર્ણય માટે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યા હતા. જેપી નડ્ડાએ જણાવ્યું કે, આજનો દિવસ સ્વર્ણ અક્ષરોમાં અંકિત કરવામાં આવશે જ્યાર ભારતની એકતા અને અખંડિતતાને પુન:સ્થાપિત કરવા માટે આર્ટિકલ-370 અને 35A ને દુર કરવાના સંકલ્પને લઇને કાશ્મીરને સંપૂર્ણ રીતે વિકાસની ધારા સાથે જોડવાનો માર્ગ સાફ કર્યો છે.