કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ વધી ગઇ છે. હવે થાણેના પ્રાઇમ ક્રિટિકેઅર હોસ્પિટલમાં બુધવારે આગ લાગી હતી.
થાણેના પ્રાઇમ ક્રિટિકેયર હૉસ્પિટલમાં લાગી આગ
દર્દીઓના શિફ્ટિંગ દરમિયાન 4 દર્દીઓના મોત
ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી
હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ તાત્કાલિક દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. આ દરમિયાન 4 દર્દીઓના મોત થઇ ગયા. મોતના આંકડા હજુ વધી શકે છે.
Today at around 03:40 am fire broke out at Prime Criticare Hospital in Mumbra, Thane. Two fire engines & one rescue vehicle are at the spot. Fire extinguishing underway. Four dead during shifting of patients to another hospital: Thane Municipal Corporation#Maharashtrapic.twitter.com/QR4NNYZd8Y
થાણે મહાનગર પાલિકાના એક અધિકારીએ જણાવ્યું કે, આજે સવારે 3.40 વાગ્યે થાણેના મુંબ્રામાં પ્રાઇમ ક્રિટિકેઅર હોસ્પિટલમાં આગ લાગી ગઈ, 2 ફાયર વિભાગ અને એક બચાવ વાહન ઘટનાસ્થળે છે, આગ પર કાબૂ મેળવવાનું કામ ચાલી રહ્યું છે, બીજી હોસ્પિટલમાં દર્દીઓના શિફ્ટિંગ દરમિયાન 4 દર્દીઓના મોત થઇ ગયા છે.
હોસ્પિટલોમાં સતત બની રહી છે દુર્ઘટના
આ પહેલા મુંબઈથી જોડાયેલ વિરાર વિસ્તારમાં વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી 14 લોકોના મોત થઇ ગયા હતા. હોસ્પિટલમાં 17 કોરોનાના દર્દીઓ ICUમાં હતા, જેમાંથી 14 દર્દીઓના મોત થયા હતા. આગ લાગતા સમયે સમગ્ર હોસ્પિટલમાં કુલ 90 દર્દી હતા અને 3 આઈસીયૂ દર્દીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના હોસ્પિટલોમાં સતત દુર્ઘટના થઇ રહી છે. વિરારમાં આગ લાગતા પહેલા નાસિક મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ડૉ. ઝાકિર હુસૈન હોસ્પિટલનું ઑક્સિજન ટેન્ક લીક થઇ ગયું હતું. આને રોકવા માટે દર્દીઓનું ઑક્સિજન થોડા સમય માટે બંધ કરી દેવાયું હતું. તેના કારણે 24 કોરોનાના દર્દીઓના મોત થઇ ગયા હતા, જે વેન્ટિલેટર પર હતા.
નાસિકની ઘટના પહેલા 26 માર્ચે મુંબઈના ભાંડુપ ઉપનગર સ્થિત ડ્રીમ્સ માલના સનરાઈઝ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 11 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. મૃતક તમામ દર્દી વેન્ટિલેટર પર હતા, જેના કારણે બહાર ન નિકળી શક્યા. હોસ્પિટલમાં કોરોના પીડિતો સિવાય બીજી બીમારીઓના દર્દીઓ પણ દાખલ હતા.