ગાંધીનગર: શિક્ષકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે...આજે રાજ્યભરમાંથી આશરે 10 હજારથી વધુ પ્રાથમિક શિક્ષકો ગાંધીનગર જશે અને વિધાનસભાનો ઘેરાવો કરશે.
મહત્વનું છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 1997થી ભરતી થયેલ શિક્ષકોની સિનિયોરિટી સળંગ ગણવા માગણી કરવામાં આવી છે. તેમજ 7માં પગાર પંચ મુજબ ભથ્થુ આપવાની માગણી કરાઈ છે. આ સાથે સાથે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકને 4200ના ગ્રેડમાં સમાવવા અને બિન શૈક્ષણિક કામગીરી બંધ કરવાની પણ માગણી કરવામાં આવી છે.
#Aravalli ના એક હજારથી વધુ શિક્ષકોની કૂચ પડતર માંગણીઓને લઇને ગાંધીનગર તરફ કૂચ #Modasa થી #Gandhinagar તરફ ખાનગી ગાડીમાં રવાના શિક્ષકોને અટકાવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત બાયડ તાલુકાના 25 થી વધુ શિક્ષકોની અટકાયત pic.twitter.com/hSdjHhua1h
તેમજ નવી પેંશન યોજના બંધ કરી જૂની ચાલુ કરવાની માગ કરાઈ છે. મળતી માહિતી મુજબ આ પહેલા પણ સરકારે શિક્ષકોની નોકરી સળંગ ગણવા કહ્યું હતું પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેના પગલે માસ સીએલનો નિર્ણય કરવામા આવ્યો છે.